અયોધ્યા ચુકાદોઃ 24 કલાક કામ કરશે કંટ્રોલ રૂમ, ડીએમની નાઈટ ડ્યુટી, હેલીકોપ્ટર તૈનાત
સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓને કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
અયોધ્યા વિવાદ પર સુનાવણા પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ મુદ્દે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓને કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને પહોંચી વળવા માટે વધારાના સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓનુ મોનિટરીંગ કર્યુ છે સાથે તેમણે તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે પોતાના સંબંધિત જિલ્લામાં રાતે પણ રોકાય જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને ટાળી શકાય.

રાતે પણ ફરજ પર રહે ડીએમ તેમજ ઉપરી અધિકારી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ પોલિસ અધિકારીઓ તેમજ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા ગુરુવારે વાત કરી. આ દરમિયાન મુખ્યમંત્રીઓ બધા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે બધા ધાર્મિક સ્થળોનીસુરક્ષા વ્યવસ્થા પૂરતી રાખે. અહીં ફ્લેગ માર્ચ કરે, પગપાળા પેટ્રોલિંગ કરે અને સમયે સમયે બધા સમાજના લોકો સાથે વાતચીત કરે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ગ્રુપ પર પણ નજર રાખવાનુ કહ્યુ છે જેથી અફવા ફેલાવનાર અને હિંસા સામે ઉકસાવનાર સામે કડકાઈથી પગલા લઈ શકાય.

બે હેલીકૉપ્ટર તૈનાત
મુખ્યમંત્રીએ કહ્યુ કે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમને સ્થાપિત કરવામાં આવે જે ચોવીસ કલાક કાર્યરત રહે. સાથે જ મુખ્યમંત્રી બે હેલીકોરટને તૈનાત કરવાના નિર્દેશ પણ આપ્યા છે. એક હેલીકોપ્ટર લખનઉ અને બીજુ અયોધ્યામાં તૈનાત રહેશે. યુપી ડીજીપી અને ચીફ સેક્રેટરી આ દરમિયાન મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર હતા. સરકારના પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ કે અયોધ્યા ચુકાદો આવવાનો છે. કાર્તિક પૂનમનો તહેવાર, બારાવફાત અને પ્રકાશ પર્વ પણ આવવાના છે માટે મુખ્યમંત્રી ઈચ્છે છે કે રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોય.

દરેજ જગ્યાએ નજર
વળી, કોર્ટના ચુકાદા પહેલા ભારત-નેપાળ સીમાની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગેરકાયદેસર અવરજવર પર પૂરતી નજર રાખવામાં આવશે. જે પણ ગેરકાયદેસર રીતે સીમાની અંદર ઘૂસવાની કોશઇશ કરે તેની તરત ધરપકડ કરવામાં આવશે. સાથે જ અધિકારી ઈલેક્ટ્રોનિક મીડિયા અને ઈન્ટરનેટ પર બાજ નજર રાખશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ કહ્યુ કે અયોધ્યામાં વિશેષ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવે. અયોધ્યામાં પંચકોસી પરિક્રમા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે 11-12 નવેમ્બરે કારતક પૂનમના કારણે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે. એવામાં જો ટ્રાફિક જામ થાય તો પોલિસને બેરીકોડ લગાવવાનુ કહેવામાં આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
