રામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવ
જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના ઈન્ચાર્જ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે.
લોકસભા ચૂંટણી પહેલા સતત રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં બનેલો છે. એક તરફ જ્યાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે બીજી તરફ આ કેસને અંગે સતત રાજકીય નિવેદનબાજીનો દોર ચાલુ છે. જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના ઈન્ચાર્જ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે. રામ માધવે કહ્યુ કે અમે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ છે. પહેલા કોર્ટ ગયા વર્ષે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવાનું હતુ ત્યારબાદ કોર્ટ રજાઓમાં બંધ થઈ ગઈ. ફરીથી આ મામલે જાન્યુઆરી માસના પહેલા સપ્તાહમાં સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટે આ કેસને પ્રાથમિકતા આપી નહી અને ફરીથી 29 જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે. તેમની પાસે એક વાર ફરીથી આ કેસને લંબાવવાનું કારણ હતુ.

સુપ્રીમ કોર્ટને રસ નથી
માધવે કહ્યુ કે હવે સુપ્રીમ કોર્ટ અમને આ કેસમાં સુનાવણીની તારીખ પણ નથી આપી રહ્યુ. આ કેસ સુપ્રીમ કોર્ટમાં કોઈ મુકામ પર નથી જઈ રહ્યો. પરંતુ અમે લોકોને વચન આપ્યુ છે. અમે કાયદો માનનારા લોકો છીએ એટલા માટે અમારા પક્ષે આટલા લાંબા સમય સુધી રાહ જોઈ. જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે પગલા નથી લઈ રહ્યુ તો સરકારે કોઈને કોઈક પગલા લેવા જ પડશે જેથી કરોડો દેશવાસીઓને ભરોસો મળી શકે જે એ ઈચ્છે છે કે રામ મંદિર અયોધ્યામાં બને.

અન્ય વિકલ્પ પર કરે વિચાર
જે રીતે કેન્દ્ર સરકારે બિન વિવાદિત જમીનને સોંપવાની માગ કરી છે તેના ઉપર રામ માધવે કહ્યુ કે આનો મુખ્ય મામલે સીધી રીતે કોઈ લેવાદેવા નથી. બંને અલગ મુદ્દા છે, આપણે કંઈ નહિ તો આટલુ તો કરી શકીએ. હું તમને કહી શકુ કે સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ પણ રસ નથી લઈ રહ્યુ એટલા માટે સરકારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. જો જમીન પાછી પણ કરી દેવામાં આવે તો અમારા હાથ બંધાયેલા છે કારણકે સુપ્રીમ કોર્ટે પૂર્વ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

કોર્ટની મંજૂરી વિના નિર્માણ નહિ
જ્યારે રામ માધવને પૂછવામાં આવ્યુ કે જો ન્યાય વ્યાસને જમીન પાછી મળી ગઈ અને ત્યાં કંઈ નિર્માણ કરાવવા ઈચ્છે તો શું પાર્ટી સમર્થન કરશે તો તેમણે કહ્યુ કે કોઈ પણ પ્રકારના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. અહીં જ્યારે પણ નિર્માણ થશે ત્યારે કોર્ટની મંજૂરીથી જ થશે. એટલા માટે અહીં જગ્યા ખાલી કરવામાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નહિ થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
