Ayodhya Ram Mandir: રામ મંદિરની છતમાંથી ટપકી રહ્યુ છે પાણી, પૂજારીએ કહ્યુ - ડ્રેનેજની નથી કોઈ વ્યવસ્થા, Video
Ayodhya Ram Temple Leaking: અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ચોમાસા પહેલાના સમયગાળામાં બાંધકામ એજન્સીની બેદરકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરની છત પરથી વરસાદનું પાણી ટપકતું હોય છે.
આ દાવો અન્ય કોઈએ નહીં પરંતુ અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કર્યો છે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં પહેલા વરસાદ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં પાણી ટપકતું હતું.

આ અંગે રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દ્વારા ન્યૂઝ એજન્સી ANIને આપવામાં આવેલ નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીડિયો વાયરલ થતાં લોકો રામ મંદિર નિર્માણ દરમિયાન કરવામાં આવેલી બેદરકારી સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
હકીકતમાં, મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે તાજેતરમાં વરસાદમાં પણ છત લીક થઈ રહી હતી, જેને સુધારવામાં આવી હતી. પરંતુ પ્રી-મોનસુનના પહેલા વરસાદ દરમિયાન મંદિરની છત ફરીથી લીક થવા લાગી હતી.
રામ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટપકતા પાણીને કારણે મંદિરમાં ઘણી જગ્યાએ પાણી એકઠું થઈ રહ્યું છે, આ સિવાય મંદિરની સામે પૂજારીના બેસવાની જગ્યા પર પણ વરસાદનું પાણી જમા થઈ રહ્યું છે.
પાણી કાઢવા માટે સખત મહેનત કરવી પડે છે. પૂજારીનું કહેવું છે કે અહીંથી લોકો VIP દર્શન માટે પસાર થાય છે અને આ તે જગ્યા પણ છે જ્યાં પૂજારી બેસે છે. વરસાદ દરમિયાન મંદિરની છત લીક થવા લાગી હતી અને તે જગ્યાએ વરસાદનું પાણી જમા થઈ ગયું હતું.
પૂજારીએ એમ પણ કહ્યું છે કે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટે પણ ધ્યાન આપવું જોઈએ કે મંદિરોમાંથી પાણી કેમ ટપકતું હોય છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. રામ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આ મામલો વધુ જોર પકડી રહ્યો છે.
पहली ही बारिश में चूने लगा है मंदिर, जिम्मेदार कौन , मोदी के उद्घाटन की हड़बड़ी या फिर भ्रष्टाचार ?
— Jagdish Jha (@jagdishjguddu) June 24, 2024
अयोध्या राम मंदिर के मुख्य पुजारी सत्येंद्र दास जी ने कहा– जो भी मंदिर बन गए हैं जहां राम लला विराजमान हैं पहली ही बारिश में पानी चूने लगा है। अंदर पानी भर गया है। बारिश का पानी… pic.twitter.com/ebVM4lQ6sV
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
