Ram Mandir: અયોધ્યા રામ મંદિરને માત્ર 2 દિવસમાં મળ્યુ આટલા કરોડનુ દાન
Ayodhya Ram Mandir Donation: અયોધ્યાના રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે અને રામલલાના દર્શન માટે આવેલા ભક્તોની ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા પછી, મંગળવારે પહેલા દિવસે લગભગ 5 લાખ અને બુધવારે બીજા દિવસે 2.5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા.

આ બે દિવસ દરમિયાન રામ મંદિરમાં કેટલુ દાન આવ્યુ તેની માહિતી પણ સામે આવી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં રામ લલ્લાના દરબારમાં 3.17 કરોડ રૂપિયાની રકમ દાન તરીકે આવી છે. આમાં ઑનલાઈન માધ્યમ દ્વારા આપવામાં આવેલ દાનનો પણ સમાવેશ થાય છે.
પીટીઆઈને આપેલી માહિતીમાં અનિલ મિશ્રાએ કહ્યું, 'પ્રાણ પ્રતિષ્ઠા પછી દાન મેળવવા માટે રામ મંદિર પરિસરમાં 10 કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. બે દિવસમાં, આ કાઉન્ટર્સ પર અને ઑનલાઈન માધ્યમ દ્વારા 3.17 કરોડ રૂપિયા દાન તરીકે પ્રાપ્ત થયા. બુધવારે રાત સુધી લગભગ 7.5 લાખ ભક્તોએ મંદિરમાં રામલલાના દર્શન કર્યા છે. રામ ભક્તોની ભીડ સતત વધી રહી છે અને દરેક લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચતા ભક્તોની ભીડ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા દત્તાત્રેય હોસાબલેએ અયોધ્યામાં સંઘ કાર્યકર્તાઓને મંદિરની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવા તેમજ ભક્તોની ભીડને સંભાળવામાં વહીવટીતંત્રને સહકાર આપવાની સૂચના આપી છે.
આ સિવાય રામ ભક્તોની વધતી ભીડને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસને હાલમાં શહેરની સરહદો સીલ કરી દીધી છે. આ ઉપરાંત મંદિર પરિસરની બહાર આરએએફ અને સીઆરપીએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. નજીકના જિલ્લાઓ બસ્તી, ગોંડા, આંબેડકર નગર, બારાબંકી, સુલતાનપુર અને અમેઠીથી આવતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અયોધ્યા પ્રશાસને જિલ્લા સરહદથી 15 કિલોમીટર પહેલા નાકાબંધી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
