આર્મી નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી, કહ્યું-પીઓકે પરત લેવા સરકારના આદેશની રાહ.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લાવવા માટે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે ત્યારે હવે ભારતીયા સેનાના નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્હી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લાવવા માટે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે ત્યારે હવે ભારતીયા સેનાના નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી મોટુ નિવેદન આપ્યુ છે.

નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદી કહ્યું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પરત લેવા ભારત સરકારના આદેશની રાહ જોઈ રહી છે. સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરવા માટે તૈયાર છે. નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ફરીથી કબજે કરાશે. આ મુદ્દે નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાની વાત રાખી છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આગળ વાત કરતા કહ્યું કે,જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે તો સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈપણ આદેશનું પાલન કરશે. અમે ઓર્ડરને પૂર્ણ કરવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદ પર શાંતિ જાળવી રાખવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે તો તેણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાને જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના અધિકૃત કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે કાશ્મીરના વિકાસનું કામ શરૂ કરી દીધું છે. અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચીશું નહીં ત્યાં સુધી નહીં અટકીયે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
