ઓસ્ટ્રેલિયન સરકારે કોવેક્સિનને મંજૂરી આપી, પ્રવાસીઓ મુસાફરી કરી શકશે!
ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં બનેલી સંપૂર્ણ સ્વદેશી કોવેક્સિનને મંજૂરી આપી છે. આ પછી જે લોકોને રસી મળી છે તે કોઈપણ પ્રતિબંધ વિના ઓસ્ટ્રેલિયા જઈ શકશે.
નવી દિલ્હી, 01 નવેમ્બર : ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં બનેલી સંપૂર્ણ સ્વદેશી કોવેક્સિનને મંજૂરી આપી છે. આ પછી જે લોકોને રસી મળી છે તે કોઈપણ પ્રતિબંધ વિના ઓસ્ટ્રેલિયા જઈ શકશે. આ માહિતી ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલ એઓએ સોમવારે આપી હતી.

તમને જણાવી દઈએ કે ભારતમાં સંપૂર્ણ રીતે તૈયાર થયેલી રસીને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંજુરી આપવામાં આવી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને પોતાની માન્ય રસીની યાદીમાં સામેલ કરી છે.
બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સીનને પ્રવાસીઓના રસીકરણ સ્ટેટસ માટે ઓસ્ટ્રેલિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ રસીને એવા સમયે મંજૂરી આપી છે જ્યારે WHO પણ આ રસીને કોરોના વેક્સીનની ઈમરજન્સી લિસ્ટમાં ઉમેરવાનું વિચારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વદેશી રસીને મંજૂરી આપવા માટે કેટલીક વધુ માહિતી માંગી છે.
ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સીન અને BBIBP-CorV (સિનોફાર્મ, ચીન દ્વારા ઉત્પાદિત) રસી પ્રવાસીઓને યાત્રા માટે મંજૂરી આપવામાં આવશે. આ માન્યતા 12 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ માટે છે, જેમને રસી આપવામાં આવી છે.
બીજી તરફ BBIBP-CorV રસી આપવામાં આવી છે તેવા 18 થી 60 વર્ષના લોકોને મુસાફરી માટે માન્ય ગણવામાં આવશે. આ માન્યતાનો અર્થ એ છે કે ચીન અને ભારતના ઘણા નાગરિકો તેમજ અન્ય દેશો જ્યાં આ રસીઓનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે તેમને છુટ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, હવે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ પર સંપૂર્ણ રસીકરણ માન્ય રહેશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્ટાફના ઑસ્ટ્રેલિયા પાછા ફરવા પરના વિક્ષેપ હવે સમાપ્ત થશે.
TheTGAએ જણાવ્યું કે, તેમને વધારાની માહિતી મેળવી છે, જે દર્શાવે છે કે આ રસીઓ રક્ષણ પૂરું પાડે છે અને આવનારા પ્રવાસીઓ અથવા કોવિડ-19 ધરાવતા વ્યક્તિની તબિયત લથડતા અન્ય લોકોમાં કોવિડ-19 ચેપ ફેલાવવાની સંભાવના ઓછી કરે છે.
આ અગાઉ ઑસ્ટ્રેલિયાની તબીબી નિયમનકારી સંસ્થા થેરાપ્યુટિક ગૂડ્ઝ એડમિનિસ્ટ્રેશન (TGA) એ ભલામણ કરી હતી કે માત્ર ઓસ્ટ્રેલિયામાં ઉપયોગ માટે મંજૂર કરાયેલી રસીઓ અને ભારતની કોવિશિલ્ડ અને ચીનની સિનોવાકને મુસાફરી અને અન્ય પ્રતિબંધોના હેતુઓ માટે માન્યતા આપવામાં આવે. ઉલ્લેખનિય છે કે આ પહેલા WHO એ વધુ માહિતી માંગતા પરવાનગી આપી નહોંતી.












Click it and Unblock the Notifications
