ઇરાકમાં અપહરણ ભારતીયો પર સુષમાએ પોતાની ચુપ્પી તોડી
નવી દિલ્હી, 28 નવેમ્બર: ઇરાકમાં બંધક ભારતીયો પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે રાજ્યસબામાં જણાવ્યું કે બંધક ભારતીયોની તલાશ જારી છે. તેમણે જણાવ્યું કે એવું ના કહેવું કે બંધક લોકોને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા છે, પરંતુ એવું કહો કે તેમના મરવાના સમાચાર છે. તેમણે જણાવ્યું કે બંધક માર્યા નથી ગયા પરંતુ તેમના જીવતા હોવા કે મરવાના કોઇ પુરાવા અમારી પાસે નથી. પરંતુ સરકાર તેમની તપાસ કરી રહી છે.
સુષમા સ્વરાજે જણાવ્યું, 'અમે તમામ દેશોના સંપર્કમાં છીએ. અમે દરેક તે શખ્શનો સંપર્ક કર્યો, જે અમને અપહરણ કરાયેલા લોકોની જાણકારી આપી શકે. આનાથી અમને 6 એવા સૂત્ર મળ્યા, જેમણે દાવો કર્યો કે ભારતીય નાગરિકો જીવતા છે. વિદેશ મંત્રી તરીકે આ મારી જવાબદારી છે કે અમે તે 6 સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર અપહરણ લોકોની તપાસ ચાલુ રાખીએ.'

સુષમાએ આ નિવેદન એ સંદર્ભમાં આપ્યું જ્યારે એક ન્યૂઝ ચેનલે એક શખ્શ હરજીત ભસીનના હવાલાથી એ જાણકારી આપી છે કે ઇરાકમાં આઇએસઆઇએસે પાંચ મહીના પહેલા અપહરણ કરેલા 40 ભારતીય મજદૂરોમાંથી 39ની હત્યા કરી દીધી છે. આદાવો એ મજદૂરોના એક બાંગ્લાદેશી સાથી હરજી ભસીને કરી છે.
તેણે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે આઇએસઆઇએસે તેને અને એક અન્ય 50 બાંગ્લાદેશીઓનું પણ અપહરણ કર્યું હતું. પરંતુ બાંગ્લાદેશી હોવાના કારણે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે ચેનલની આ રિપોર્ટને રદ કર્યો છે અને જણાવ્યું કે તમામ ભારતીયો જીવતા છે અને તેમને સકુશળ મુક્ત કરાવવાના પ્રયત્નો ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
