પ્રચાર પ્રસાર પૂરજોશમાં: મોદી, રાજનાથસિંહ અને સોનિયા આજે છત્તીસગઢમાં
રાયપુર, 7 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આજે છત્તીસગઢમાં અલગ-અલગ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. સોનિયા ગાંધી જ્યાં બસ્તરના કોંડાગામમાં સભાને સંબોધિત કરશે, જ્યારે નરેન્દ્ર મોદી જગદલપુર, કાંકેર અને ડોંગરગઢ તથા રાજનાથ સિંહ બિલાસપુર સંભાગમાં સભાઓ કરશે. આ ઉપરાંત લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજ તથા રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીની પણ ચૂંટણી સભાઓ થશે.
સોનિયા ગાંધીના કાર્યક્રમમાં સંશોધન કરવામાં આવ્યું છે. પૂર્વમાં તેઓ કોંડાગામની સાઝે રાજનાંદગામમાં પણ પોતાની સભા કરવાની હતી, પરંતુ હવે તે માત્ર કોંડાગામમાં જ સભા કરશે. તેઓ આજે 7 નવેમ્બરે સવારે 11.00 વાગ્યે કોંડા ગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે. પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે કોંડા ગામ સહિત ઘણા અન્ય વિસ્તારોમાં ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા આયોજિત કરવામાં આવી રહી છે. કોંડાગામ બેઠકથી ચૂંટણી લડવાની આ વખતે કોંગ્રેસે મોહન મરકામને તક આપી છે, જ્યારે ભાજપ તરફથી પ્રદેશની મહિલા અને બાળ વિકાસ મંત્રી લાતા ઉસેંડી ચૂંટણી મેદાનમાં છે.
નરેન્દ્ર મોદીની આજ ત્રણ સભાઓ થવાની છે. મોદી આજે ગુરુવારે બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર પહોંચશે, જ્યાં લાલબાગ મેદાન પર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ કાંકેર અને સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન ડોંગરગઢમાં સભાને સંબોધશે.
ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ બપોરે 12.15 વાગ્યે લોરમી, 1.40 વાગ્યે બેલતરા તથા બપોરે 3.15 કલાકે અકલતરામાં સભાઓને સંબોધિત કરશે. અરૂણ જેટલી બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે, જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે. સુષમા સ્વરાજ ગુરુવારે બપોરે 12 વાગ્યે પંડરિયા, 1.30 કલાકે તખતપુર તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.

સોનિયા ગાંધી
7 નવેમ્બર:
સવારે 11.00 વાગ્યે
કોંડાગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે

નરેન્દ્ર મોદી
7 નવેમ્બર:
બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર
બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ, કાંકેર
સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન, ડોંગરગઢ

રાજનાથ સિંહ
7 નવેમ્બર:
બપોરે 12.15 વાગ્યે લોરમી
બપોરે 1.40 વાગ્યે બેલતરા
બપોરે 3.15 કલાકે અકલતરા

અરૂણ જેટલી
7 નવેમ્બર:
બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે,
જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે.

સુષમા સ્વરાજ
7 નવેમ્બર:
બપોરે 12 વાગ્યે પંડરિયા,
1.30 કલાકે તખતપુર
તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
