Assam: અમિત શાહે જણાવ્યો પોતાની પિટાઇનો કીસ્સો, કોંગ્રેસને લીધી આડેહાથ
ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આસામની મુલાકાતે છે. અહી તેમણે ગુવાહાટીના બેલટોલા ખાતે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન દર
ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આસામની મુલાકાતે છે. અહી તેમણે ગુવાહાટીના બેલટોલા ખાતે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન દરમિયાન અમિત શાહે તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો પણ સંભળાવ્યો. શાહે કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિરોધ કરતી વખતે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.

અમિત શાહે આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા હિતેશ્વર સૈકિયાના કાર્યકાળ દરમિયાન ABVP કાર્યકર્તાઓની મારપીટનો કિસ્સો શેર કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, એક વખત હું અહીં એબીવીપીના કાર્યક્રમમાં આવ્યો હતો. ત્યારબાદ હિતેશ્વર સૈકિયાએ અમને ખૂબ માર માર્યો હતો. અમે નારા લગાવતા હતા - આસામકી શેરયા સુની હૈ, ઇન્દિરા ગાંધી ખુની હૈ. ત્યારે આ આસામમાં સતત બે ટર્મ સુધી ભાજપની સરકાર બનશે તેવું વિચાર્યું ન હતું.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો એજન્ડા હતો કે જો તેઓ સત્તામાં આવશે તો ઉત્તર પૂર્વમાંથી AFSPA હટાવી દેશે. તે તુષ્ટીકરણ માટે હતું. જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે અમે પહેલા પૂર્વોત્તરમાં શાંતિ લાવીશું અને પછી AFSPA હટાવીશું પરંતુ માત્ર તુષ્ટિકરણ માટે તે કરીશું નહી.
#WATCH मैं यहां विद्यार्थी परिषद के कार्यक्रम में आया था तब हमें हितेश्वर सैकिया (असम के पूर्व CM) ने बहुत मारा था... हम नारे लगाते थे असम की गलियां सूनी है इंदिरा गांधी खूनी है। उस वक्त कल्पना नहीं थी कि भाजपा अपने बूते पर 2 बार जीतकर यहां सरकार बनाएगी: गृह मंत्री अमित शाह, असम pic.twitter.com/h3NucMMuuB
— ANI_HindiNews (@AHindinews) October 8, 2022
અમિત શાહે કહ્યું કે આસામની ભૂમિને કોંગ્રેસ દ્વારા ઘણા વર્ષોથી આતંકવાદ, વિઘટન, આંદોલન અને હડતાલની ભૂમિ બનાવી દેવામાં આવી છે. વિકાસ નહોતો, શિક્ષણ ન હતું, શાંતિ નહોતી. આજે હું ખુશ છું કે 2014થી સમગ્ર નોર્થ ઈસ્ટ વિકાસના માર્ગ પર છે. હવે ઉત્તર પૂર્વનો વિકાસ અને ઉત્તર પૂર્વમાં ભાજપનો વિકાસ બંને સમાંતર ચાલી રહ્યા છે.
બીજી તરફ ખાનપરામાં કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસીઓ જ્યાં બેઠા છે ત્યાંથી સાંભળી લો, જવાહરલાલ નેહરુએ 1962માં આસામને બાય-બાય કહ્યું હતું જ્યારે ચીન સાથે યુદ્ધ થયુ હતું. ત્યારથી કોંગ્રેસના લોકો ભૂલી ગયા હતા કે ઉત્તર-પૂર્વ પણ એક ચીજ છે. અહીં જે પ્રકારનો અલગતાવાદ થયો તેને મોદીજીએ કોઈપણ ભાષણ વિના બદલી નાખ્યો હતો. ભારતના તૂટવાની પ્રક્રિયા કોંગ્રેસના શાસનમાં થઈ અને કોંગ્રેસ મૂક પ્રેક્ષક બની રહી. મોદીજીએ આવીને ભારતને તોડવાની પ્રક્રિયા અટકાવીને ભારતને જોડવાનું કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
