કુતુબ મીનારઃ ASIએ કર્યો મંદિર બનાવવાનો વિરોધ, કહ્યુ - નહિ કરી શકાય આની સંરચનામાં ફેરફાર
ભારતના પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ સંરક્ષિત સ્મારકની સંરચનામાં ફેરફાર કરી શકાશે નહિ.
નવી દિલ્લીઃ દિલ્લીમાં કુતુબ મીનારને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ સંરક્ષિત સ્મારકની સંરચનામાં ફેરફાર કરી શકાશે નહિ. મંગળવારે દિલ્લીની સાકેત કોર્ટમાં કુતુબ મીનારને લઈને ચાલી રહેલ કેસમાં એએસઆઈએ પોતાનો જવાબ દાખલ કર્યો અને એ અરજીનો વિરોધ કર્યો જેમાં કુતુબ મીનારની જગ્યાએ મંદિરને પુનર્જીવિત કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં મહાકાલ માનવ સેવા અને બીજા દક્ષિણપંથી સંગઠનોના કાર્યકર્તાઓને કુતુબ મીનાર પર ભારે પોલિસબળ વચ્ચે વિરોધ પ્રદર્શન કરીને નારેબાજી કરી હતી. તેમની માંગ હતી કે કુતુબ મીનારનુ નામ બદલીને 'વિષ્ણુ સ્તંભ' રાખવામાં આવે.

સાકેત કોર્ટમાં દાખલ કરેલા તેમના જવાબમાં ASIએ જણાવ્યુ હતુ કે, 'કુતુબ મિનાર 1914થી એક સંરક્ષિત સ્મારક છે અને હવે તેની રચના બદલી શકાશે નહિ.' જે સમયે કુતુબમિનારને 'સંરક્ષિત સ્મારક'નો દરજ્જો આપવામાં આવ્યો હતો તે સમયે અહીં કોઈ પણ પ્રકારની પૂજાની પ્રથા નહોતી. તેથી આ સ્મારકના પૂજા સ્થળના પુનરુત્થાનની મંજૂરી આપી શકાય નહિ.'
'કુતુબ મીનારને પૂજા કરવાની કોઈને પરવાનગી નથી'
ASIએ કહ્યું, 'હિન્દુ અરજદારોની અરજી કાયદેસર રીતે માન્ય નથી. કુતુબમિનારના નિર્માણ માટે જૂના મંદિરો તોડવાનો દાવો ઐતિહાસિક તથ્યોની વાત છે. કુતુબ મિનાર સંકુલ એક જીવંત સ્મારક છે જે 1914થી સંરક્ષિત કરવામાં આવ્યુ છે. કુતુબમિનાર સંકુલમાં પૂજા કરવાનો કોઈને અધિકાર નથી અને ન તો અમે તેની પરવાનગી આપી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે એએસઆઈના જ પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક ધર્મવીર શર્માએ દાવો કર્યો છે કે કુતુબ મીનારનુ નિર્માણ કુતુબ અલ-દીન એબકે નહિ પરંતુ સૂર્યની દિશાનુ અધ્યયન કરવા માટે રાજા વિક્રમાદિત્યએ કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
