શાર્પશૂટરે કહ્યું આસારામના સાક્ષીઓને માર્યા પછી બાપુએ સાધ્વી આપી ભેટ
સગીર બાળકી સાથે રેપના કેસમાં જેલની હવા ખાતા આસારામ બાપુની મુશ્કેલીઓ ફરી એક વાર વધવાની શક્યતા છે. પોલિસના કહેવા મુજબ આસારામ બાપુના સાક્ષીઓને મોતને ઘાટ ઉતારનાર શાર્પશૂટરને પકડી પાડવામાં પોલિસને મોટી સફળતા મળી છે. અને આ શાર્પશૂટરે પોતાની જાતને આસારામનો ફિદાયીન બતાવ્યો છે. આસારામના કહેવાતા ભક્ત તેવા આ શાર્પશૂટરને સાક્ષીઓની હત્યા કર્યા બાદ તેને આસારામે તેની મનપસંદ સાધ્વીની પસંદગી કરવાનો મોકો પણ આપ્યો છે.
પાછલા કેટલાક સમયથી જમાનત માટે તરસતા આસારામ બાપુને જ્યાં જમાનત નથી મળી રહી ત્યાં પોલિસે જે શાર્પશૂટરને પકડ્યો છે તે આસારામ બાપુને જોધપુરમાં મળવા પણ ગયો હતો તેવી બાતમી પોલિસે આપી છે. ત્યારે કોણ છે આ શાર્પશૂટર જે પોતાને આસારામનો ફિદાયીન કહે છે. અને કેવી રીતે પોતાની મનગમતી સાધ્વીના મેળવવા માટે તેને સગીર સાથે બળાત્કારના કેસ ફસાયેલા આસારામ બાપુના તમામ મહત્વના સાક્ષીઓનો સફાયો કરો તે વિષે જાણો આ સનસનીખેજ આર્ટીકલમાં....

છત્તીસગઢથી પકડાયો શાર્પશૂટર
પોતાને આસારામનો ફિદાયીન કહેનાર અને સગીર રેપ કેસના તમામ મહત્વના સાક્ષીઓની હત્યા કરનાર કાર્તિક નામના આ શાર્પશૂટરને એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડ્યો છે. પોલિસનું માનીએ તો કાર્તિક ખૂબ જ ખતરનાક છે.

કાર્તિકે કર્યા આસારામ અંગે અનેક ખુલાસા
પોલિસે જણાવ્યું કે કાર્તિકે આસારામને લઇને અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. કાર્તિકના કહેવા મુજબ તેણે જ્યારે આ કેસના તમામ સાક્ષીઓને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આસારામ ખુબ જ ખુશ થયા હતા.

રાજૂ ચાંડકની મોત
સગીર બળાત્કાર કેસના મુખ્ય સાક્ષી જેણે કબલ્યું હતું કે તેણે આસારામને સગીરા સાથે જોયા હતા તેવા રાજૂ ચાંડક જે આસારામ બાપુના ખુબ જ નજીકના વ્યક્તિ મનાતા હતા તેને જ્યારે કાર્તિકે મારી નાખ્યો ત્યારે આ ખબર સાંભળીને આસારામ ખુબ જ ખુશ થયા હતા.

જ્યારે આસારામે કાર્તિકને પૂછ્યું
એટલું જ નહીં રાજૂ પર હુમલો કર્યા પછી તે આસારામને મળવા પણ ગયો હતો અને કાર્તિકે આસારામ સામે તે વાત કબૂલી પણ હતી કે તેણે જ આ તમામ ખૂન કર્યા છે. ત્યારે આસારામે તેને પુછ્યું હતું તારે શું જોઇએ છે?

ખૂનના બદલામાં સાધ્વી ભેટ
ત્યારે કાર્તિકે કહ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે અને તેને આસારામની એક સાધ્વી ગમે છે. જે બાદ તે સાધ્વી સાથે કાર્તિકના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

કાર્તિકનો દાવો આને માર્યા છે
કાર્તિકે દાવો કર્યો કે તેને મનગમતી પત્ની મળ્યા પછી તેને આસારામ કેસના તમામ સાક્ષીઓને મારવાનો પ્લાન બનાવ્યો. પોલિસ તપાસમાં તેણે માન્યું કે રાજકોટના અમૃત પ્રજાપતિ, અખિલ ગુપ્તા, કૃપાલ સિંહ જેવા તમામ સાક્ષીઓની મોત તેણે પોતે જ કરી છે.

આસારામને મળ્યો પણ હતો
પોલિસે જણાવ્યું કે કાર્તિક એક વાર જોધપુર જેલમાં આસારામને મળવા પણ ગયો હતો. ત્યારે કાર્તિકના આ ખુલાસા બાદ શું કોર્ટમાં આ તમામ અપરાધો માટે આસારામને જવાબદાર ઠેરવી શકાશે કે કેમ? તે જોવાનું રહ્યું.

બાપ પછી બેટાની કરતૂત વાંચો અહીં
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
