પેલેસ્ટાઈનના બચાવમાં ઓવૈસીએ કરી અપીલ, PM મોદી પાસે કરી માંગ
Asaduddin Owaisi: હાલ ઈઝરાયલ પેલેસ્ટાઈન વચ્ચે સખત ઘર્ષણ ચાલી રહ્યું છે. ઈઝરાયલ સતત ગાઝામાં બોમ્બમારો કરી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 43000 પેલેસ્ટીનીયનો મોત થયા છે. જે કારણે વૈશ્વિર સ્તરે આ યુદ્ધનો અંત લાવવા કવાયત ચાલી રહી છે.
આવામાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ વડાપ્રધાન મોદીને ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ રોકવા માટે અપીલ કરી છે.
ઓવૈસીએ વડાપ્રધાન મોદીને અપીલ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ પર ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષમાં વિરામ માટે દબાવ બનાવવો જોઈએ.
ગાઝા પટ્ટીમાં હિંસા અને સંઘર્ષના કારણે ભારે જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધના કારણે લાખો પેલેસ્ટાઈનવાસીઓ વિસ્થાપિત થયા છે. જે કારણે ઓવૈસીએ વડાપ્રધાન મોદીને આ અપીલ કરી છે.
અસદુદ્દીન ઓવૈસીએ એક જાહેર સભા દરમિયાન જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન મોદીને નેતન્યાહુ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવાની અપીલ કરું છું. 12-15 લાખ પેલેસ્ટિનિયનોએ તેમના ઘર ગુમાવ્યા હોવા છતાં, તેઓ મૃત્યુથી ડરતા નથી.

અસદુદ્દીન ઓવૈસીએ સંઘર્ષને માત્ર ધાર્મિક નહીં પણ માનવતાવાદી કટોકટી તરીકે રજૂ કર્યો છે, અને ઈઝરાયલ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે નેતન્યાહુને શેતાન અને યુદ્ધ ગુનેગાર ગણાવીને પેલેસ્ટિનિયન લોકો સાથે એકતા માટે હાકલ કરી છે.
પેલેસ્ટાઈનની સ્થિતિ સતત બગડી રહી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ રવિવારના રોજ ઇઝરાયલી સેનાએ જબાલિયા શરણાર્થી શિબિર
પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા. ઉત્તર ગાઝામાં ગીચ વસ્તીવાળા વિસ્તાર પર આ ત્રીજો ગ્રાઉન્ડ હુમલો હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 41,870 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે 97,166 લોકો ઘાયલ થયા છે. આ હિંસાએ લાખો પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત છે, અને માનવતાવાદી કટોકટી સતત વધી રહી છે.
અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીને ભારતની ભૂમિકા માટે મહત્વપૂર્ણ ગણાવીને ઈઝરાયલ પર રાજદ્વારી દબાણ લાવવાની અપીલ કરી હતી. આ કટોકટી ધાર્મિક સીમાઓથી આગળ છે, અને તેને માનવતાવાદી સંકટ તરીકે જોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતી જતી માનવતાવાદી કટોકટી વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની અપીલ ભારતીય વિદેશ નીતિ અને વૈશ્વિક શાંતિ પ્રયાસો માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
