પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે બુધવારે ટ્વીટ કરીને પીએમ મોદીને ભાજપની સ્ટાઈલમાં સવાલ પૂછ્યો છે. ઈમરાને મંગળવારે કહ્યુ છે કે નરેન્દ્ર મોદી જો લોકસભા ચૂંટણીમાં જીતીને ફરીથી ભારતના પીએમ બનશે તો ફરીથી શાંતિ મંત્રણા માટે સારા મોકા મળશે.

દેશવાસીઓને સત્ય જાણવાની અપીલ
બુધવારે કેજરીવાલે ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘પાકિસ્તાન મોદીજીને કેમ જીતાડવા ઈચ્છે છે? મોદીજી દેશને જણાવે કે પાકિસ્તાન સાથે તેમના કેટલા ગાઢ સંબંધો છે?' કેજરીવાલે આગળ લખ્યુ, ‘બધા ભારતવાસીઓ જાણી લે કે જો મોદીજી જીત્યા તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.' કેજરીવાલની ટ્વીટ એટલા માટે ઘણી મહત્વની છે કારણકે અત્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ હંમેશાથી વિપક્ષ પર હુમલા કરતો આવ્યો છે. કેજરીવાલ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યુ કે પાકિસ્તાન અધિકૃત રીતે મોદી સાથે થઈ ગયો છે.
|
શું કહ્યુ હતુ ઈમરાન ખાને
પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન મંગળવારે અમુક વિદેશી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે આ વાત કહી છે. ઈમરાને કહ્યુ કે જો ભારતની આગામી સરકાર વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં બને તો કદાચ આ પાર્ટી કાશ્મીર પર પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની સુલેહ કરવામાં ડરશે કારણકે તેને વિરોધની શંકા રહેશે. ઈમરાને કહ્યુ, ‘કદાચ જો ભાજપ કે જે એક રાઈટ વિંગ પાર્ટી છે તે જીતે તો પછી કાશ્મીર પર કોઈ પ્રકારની સુલેહ સંભવ છે.'
|
કોંગ્રેસ માટે ચોંકાવનારુ
જો કે ઈમરાને એ પણ કહ્યુ છે કે ભારતમાં હાલમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તે વિશે તેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ. ઈમરાનના જણાવ્યા અનુસાર ભાજપના શાસનમાં ભારતમાં મુસલમાનો પર હુમલા થઈ રહ્યા છે. ઈમરાનનું નવુ નિવેદન કોંગ્રેસ માટે ચોંકાવનારુ છે કારણકે તેમણે એક રીતે પાર્ટીને કાશ્મીર મુદ્દો ઉકેલવામાં ભારતની એ ભાવિ સરકાર તરીકે દર્શાવી દીધી છે જે ડરપોક હશે. ગુરુવારે સામાન્ય ચૂંટણીનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલા તબક્કાનું મતદાન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
