કોરોના સામે જંગમાં શહીદ થયેલ વૉરિયર્સના પરિવારને આપશે 1 કરોડઃ કેજરીવાલ
કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે.
કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે. ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ કે જો કોરોના દર્દીની સેવા કરતા કોઈ પણ કર્મચારી ભલે તે સફાઈ કર્મચારી હોય, ડૉક્ટર હોય, નર્સ હોય ભલે તે સરકારમાં હોય કે પ્રાઈવેટમાં હોય કોરોનાના કારણે શહીદ થાય તો દિલ્લી સરકાર તેના પરિવારને 1 કરોડની સમ્માન રકમ આપશે.

કોરોના દર્દી અને તેમના સંપર્કમાં આવવાથી ડૉક્ટર, નર્સ સહિત સફાઈ કર્મચારીઓને જીવનુ જોખમ રહે છે. માટે કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયાની સમ્માન રકમનુ એલાન કરીને તેમનુ પ્રોત્સાહન વધાર્યુ છે. દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામે આવ્યા બાદ દેશમાં હોબાળો મચી ગયો છે. આ આયોજનમાં શામેલ અમુક લોકોના કોરોના સંક્રમણ હોવાના કારણે દિલ્લીમાં કુલ કેસોની સંખ્યા વધીને 120ને પાર જઈ ચૂકી છે. વળી, મહામારીથી દિલ્લીમાં 2 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન મોહલ્લા ક્લિનિકના ડૉક્ટરમાં કોરોના પૉઝિટીવ મળી આવ્યા બાદ 12 માર્ચ, 2020 બાદ તેમનો ઈલાજ કરાવનાર લોકોને ક્વૉરંટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
મૌજપુર અને બાબરપુર વિસ્તારમાં મોહલ્લા ક્લીનિકમાં ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળ્યા બાદ હવે રાજધાની દિલ્લીની સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળવાના સમાચાર આવી રહ્યા છે. આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 36571થી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમા સંક્રમિત કેસોની સંખ્યા 1637 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 38 લોકોના મોત પણ થઈ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
