'ભગવાન જે કરે છે, એ મોટુ કરે છે', MCD ચૂંટણીમાં આપની જીત પર કેજરીવાલના પિતા બોલ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પિતા ગોવિંદરામ કેજરીવાલે આપને જીતની શુભકામનાઓ પાઠવી છે.
Arvind Kejriwal Father on Delhi MCD Results: દિલ્લી નગર નિગમની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. આમ આદમી પાર્ટી બહુમત તરફ આગળ વધી રહી છે. તેણે બહુમતનો આંકડો 126 મેળવી લીધો છે. ભાજપ હજુ 97 પર જ છે. કોંગ્રેસે 7 જ્યારે અપક્ષે 3 સીટો મેળવી છે. બહુમતનો મેજિક નંબર આવતા ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જનતાનો દિલથી આભાર માન્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પિતા ગોવિંદરામ કેજરીવાલે આપને જીતની શુભકામનાઓ પાઠવી છે.

કેજરીવાલના પિતા, 'બધાને ખુશી છે કે આપણુ ભલુ થશે'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પિતા ગોવિંદ રામ કેજરીવાલે AAPને વિજય તરફ આગળ વધવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, "કેજરીવાલનો કરિશ્મા કામ કરશે, કોઈ સમસ્યા નથી." દરેક જણ ખુશ છે કે આપણે સારું થઈશું. દિલ્હીમાં પહેલાથી જ સરકાર છે, હવે MCDમાં પણ હશે, તેથી દિલ્હીમાં ડબલ કામ થશે. સરકારની પ્રાથમિકતા કચરાના ડુંગરને દૂર કરવાની રહેશે. જેના કારણે લોકોના આરોગ્યને અસર થશે.

કેજરીવાલના પિતા, 'બધાને ખુશી છે કે આપણુ ભલુ થશે'
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પિતા ગોવિંદ રામ કેજરીવાલે AAPને વિજય તરફ આગળ વધવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, 'કેજરીવાલનો કરિશ્મા કામ કરશે, કોઈ સમસ્યા નથી. દરેક જણ ખુશ છે કે આપણુ ભલુ થશે. દિલ્લીમાં તો પહેલાથી જ સરકાર છે, હવે MCDમાં પણ હશે, તેથી દિલ્લીમાં ડબલ કામ થશે. સરકારની પ્રાથમિકતા કચરાના ડુંગરને દૂર કરવાની રહેશે. જેના કારણે લોકોના આરોગ્ય પર અસર થશે.

'ભગવાન જે કરે છે એ મોટુ કરે છે'
ગોવિંદરામ કેજરીવાલે આમ આદમી પાર્ટીની જીત માટે અભિનંદન આપીને કહ્યુ, 'ભગવાન જે કરે છે, એ મોટુ કરે છે, તેમનો આભાર છે.' ગોવિંદરામ કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં આપની સરકાર બનવાની આશા તો ઓછી છે. ગુજરાતમાં 10 સુવિધાઓની વાત કહેવામાં આવી હતી પરંતુ ત્યાંની સરકારે કામ ના કર્યુ. જનતાને શિક્ષણ, આરોગ્ય, રોજગાર મળવો જોઈએ પરંતુ ભાજપને એની ચિંતા જ નથી.

ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી છે, તેને સાફ કરવામાં આવશે.
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દિલ્લી એમસીડીના મેયર આમ આદમી પાર્ટી (AAP)ના હશે. દિલ્લીના લોકોએ આપને એમસીડીમાં લાવવાનો નિર્ણય લીધો હતો જેથી દિલ્હી સ્વચ્છ અને સુંદર બને. અરવિંદ કેજરીવાલે દિલ્લીની જનતાએ આપેલી જવાબદારી નિભાવી. આ દરમિયાન તેમણે કહ્યુ કે ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી છે, તેને સાફ કરવામાં આવશે. દુનિયાની સૌથી નાની પાર્ટીએ દિલ્લીની ચૂંટણીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીને હાર આપી છે. આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે. તમને જણાવી દઈએ કે દિલ્લી એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પરિણામો બાદ પાર્ટીના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરો પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
