ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ
ખુદના ફાયદા માટે સેનાને જૂઠું બોલી રહ્યા છે શાહઃ કેજરીવાલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના એ દાવા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે સેનાએ કોઈ આંકડો નથી આપ્યો તો શાહની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છ. કેજરીવાલે કહ્યું કે શું અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે.
|
એક પછી એક કેજરીવાલના કેટલાંય ટ્વીટ
કેજરીવાલે શાહ પર નિશાન સાધતા એક પછી એક કેટલાંય ટ્વીટ કર્યાં છે. કેજરીવાલે કહ્યું, એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના મૃત્યુનો કોઈ આંકડો ન હોવાની વાત કેન્દ્રીય મંત્રી આહલૂવાલિયા કહી રહ્યા છે, જે સેના પણ કહી રહી છે. પરંતુ અમિત શાહ કહી રહ્યા છે કે સેના જૂઠું બોલી રહ્યા છે, 250 મર્યા હતા. અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે. દેશ આ કોઈ હાલમાં સહન નહિં કરે. સેના જૂઠ ન બોલી શકે, ભાજપ જૂઠું બોલી રહ્યું છે. આખો દેશ સેનાની સાથે છે, પરંતુ ભાજપ સેનાની વિરુદ્ધ છે.

શાહ જણાવે શું સેના જૂઠ બોલી રહી છે
કેજરીવાલે અમિત શાહના નિવેદનને લઈ કહ્યું કે તેમના મુજબ સેના જૂઠું બોલી રહી છે. શું અમિત શાહ અને ભાજપ સેનાને જૂઠું બોલી રહ્યા છે? રવિવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે સૂરતમાં પોતાના એક ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના 250થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા અને ભારતની સેનાને કોઈ નુકસાન થયું નહોતું.

સેનાએ કોઈ જ સંખ્યા ન જણાવી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર 26મી ફેબ્રુઆરીએ બોમ્બમારો કર્યો હતો. જેમાં 300થી 350 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ સેનાએ પોતાના નિવેદનમાં કોઈ આંકડો આપ્યો નથી. સેનાએ આને એક સફળ ઓપરેશન જણાવ્યું અને કહ્યું કે તેમણે યોગ્ય ટાર્ગેટ પર બોમ્બ વર્ષા કરી હતી પરંતુ કેટલા લોકો મર્યા તેનો કોઈ યોગ્ય આંકડો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
