જેલમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અર્નબ, માટે તજોલા જેલમાં શિફ્ટ કરાયા
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રવિવારે તલોજા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રવિવારે તજોલા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા અર્નબને અલીબાગ જેલ કે જે એક કોવિડ-19 કેન્દ્ર હતુ ત્યાં રાખવામાં આવ્યા હતા. અર્નબ પર આરોપ છે કે તે અલીબાગની જેલમાં રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. તે સતત સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તપાસ અધિકારીઓએ જણાવ્યુ કે અલીબાગ જેલના સુપ્રિટેન્ટડન્ટે પત્ર લખીને એક તપાસ રિપોર્ટ બનાવવા માટે કહેવામાં આવ્યુ કે છેવટે કેવી રીતે ક્વૉરંટાઈન સેન્ટરમાં અર્નબ ગોસ્વામીને મોબાઈલ ફોન મળ્યો.

આરોપ - કોઈ બીજાના ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અર્નબ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ રાયગઢ ગુના શાખાના નિર્દેશક જમીલ શેખે કહ્યુ કે, 'શુક્રવારની મોડી સાંજે અમને જાણવા મળ્યુ કે અર્નબ ગોસ્વામી કોઈના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય હતા.' પોલિસે આરોપને નકારીને રિપલ્બિક ટીવી કંપનીએ કહ્યુ કે જ્યારે અર્નબ ગોસ્વામીને બુધવારે 4 નવેમ્બરની સવારે તેમના વર્લી નિવાસથી કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારે તેમના પર્સનલ મોબાઈલ ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

તપાસ રિપોર્ટ માંગ્યો
જમીલ શેખે કહ્યુ, 'કેસના તપાસ અધિકારી તરીકે, મે અલીબાગ જેલના અધિક્ષકને લખ્યુ કે કેવી રીતે આરોપી અર્નબ ગોસ્વામીએ અલીબાગ જેલ અધિકારીઓને અધીન ક્વૉરટાઈન સેન્ટરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો. એ વિશ તપાસ રિપોર્ટ માંગ્યો છે.'

4 નવેમ્બેર ધરપકડ કરવામાં આવી હતી
અર્નબ ગોસ્વામી પાંચમાં દિવસે જેલમાં શિફ્ટ થતા પહેલા અર્નબ ગોસ્વામી ક્વૉરંટાઈન સેન્ટરમાં ચાર દિવસ વિતાવી ચૂક્યા હતા. તજોલા જેલમાં શિફ્ટ થતા પહેલા અર્નબનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ હતો. અધિકારીઓએ કહ્યુ કે કોરોના તપાસ નેગેટીવ આવ્યા બાદ જ અર્નબને તજોલા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં અર્નબ ગોસ્વામીની 4 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
