રામવિલાસ પાસવાને શાહને કહ્યુ, “વટહુકમ લાવો નહિતર મુશ્કેલી વધશે”
પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને પોતાના તેવર બતાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહને કહ્યુ કે દલિતોની વિરુધ્ધના અત્યાચાર સામે તરત જ વટહુકમ લાવવામાં આવે.
આગામી લોકસભા ચૂંટણીને હવે 11 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એનડીએના સહયોગીઓ ભાજપની સામે સતત પોતાના તેવર બતાવી રહ્યા છે. આ વખતે એનડીએના મહત્વના સહયોગી લોક જનશક્તિ પાર્ટીએ પોતાના તેવર બતાવ્યા છે. પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને પોતાના તેવર બતાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહને કહ્યુ કે દલિતોની વિરુધ્ધના અત્યાચાર સામે તરત જ વટહુકમ લાવવામાં આવે.

જલ્દી લાવવામાં આવે વટહુકમ
દલિતો વિરુધ્ધ થઈ રહેલા અત્યાચાર સામે તરત વટહુકમની માંગ કરતા પાસવાને કહ્યુ કે દલિતોને પ્રમોશનમાં પણ અનામત સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને પણ તેમણે અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન આગળ મૂકી. પાસવાને સ્પષ્ટ કરી દીધુ કે જો જલ્દીમાં જલ્દી દલિતો વિરુધ્ધના અત્યાચાર અંગે વટહુકમ લાવવામાં નહિ આવે તો મુશ્કેલી વધી શકે છે.

બિહાર હકદાર
પાસવાને કહ્યુ કે બિહાર સૌથી ગરીબ રાજ્ય છે માટે તેને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને તે આનો હકદાર પણ છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. વળી, પાસવાને કહ્યુ કે બિહાર સૌથી ગરીબ છે. ઘણા રાજ્યો આની માંગ કરી રહ્યા છે પરંતુ બિહાર આનો સૌથી વધુ હકદાર છે. પાસવાનના પુત્ર ચિરાગ પણ અમિત શાહ સાથે બેઠક દરમિયાન હાજર હતા.

શત્રુઘ્ન સિન્હાએ પણ બતાવ્યા હતા તેવર
ઉલ્લેખનીય છે કે હાલમાં જ જે રીતે નીતિશ કુમારે ફરીથી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી તેના પર નિશાન સાધતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ હતુ કે નીતિશ મારા મિત્ર, કામ કરવાનું શરૂ કરી દો નહિતર અર્જૂન તમારી જગ્યા લેવા તૈયાર છે. તેમણે તેજસ્વી યાદવને અર્જૂન ગણાવતા કહ્યુ હતુ કે જો કામ નહિ કરો તો તેઓ તેના માટે તૈયાર છે અને આખા બિહારમાં તેમનો અવાજ મજબૂત થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
