અમિત શાહ બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
નવી દિલ્હી, 9 જુલાઇ: અમિત શાહ ભાજપના નવા અધ્યક્ષ બની ગયા છે. આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે ભાજપની બેઠકમાં રાજનાથ સિંહે અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજનાથ સિંહના ગૃહમંત્રી બન્યા બાદ જ નવા અધ્યક્ષની શોધ શરૂ થઇ ગઇ હતી. અને અંતે નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

દોઢ વર્ષ માટે બનશે અધ્યક્ષ!
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને યૂપીમાં મળેલી ચમત્કારિક સફળતાનો શ્રેય પાર્ટી પ્રભારી રહી ચૂકેલા અમિત શાહને આપવામાં આવે છે. અમિત શાહ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ સિપાહી છે જેમણે લોકસભાની ચૂંટણીમાં યૂપીને ભગવા રંગથી રંગી નાખ્યું હતું. પાર્ટીએ પણ ઇનામ તરીકે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી. જો કે જેપી નેડ્ડા અને ઓ.પી.માથુર જેવા દિગ્ગજોના નામ પણ સામેલ હતા, પરંતુ જીત અમિત શાહની થઇ.

લોકસભા ચૂંટણીમાં યોગદાન
ગત બે લોકસભા ચૂંટણીમાં દસ સીટો પર અટકેલી ભાજપને યૂપીમાં આ વખતે 71 સીટો મળી છે. અમિત શાહે પોતાની સંગઠનાત્મક કુશળતાથી સુસ્ત પડેલા પાર્ટીના કાર્યકર્તાઓમાં જીવ પુર્યો. તેમણે દરેક ગામ સુધી નરેન્દ્ર મોદીની લહેર પહોંચાડી સામાજીક સમીકરણોને સ્થાપિત દિવાલોને તોડી દિધી.

સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ
જો કે બિઝનૌરની એક સભામાં ભટકાઉ ભાષણ આપવાના આરોપમાં ચૂંટણી પંચે તેમની સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ પણ લગાવ્યો, પરંતુ તેમને ટૂંક સમયમાં જ ક્લીનચિટ મળી ગઇ.

2003માં ગુજરાતના ગૃહમંત્રી બન્યા
1964માં એક વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહે બીએસસી કર્યા બાદ થોડા દિવસો સુધી સ્ટોકબ્રોકરનું કામ પણ કર્યું છે. રાજકીય સક્રિયતાની શરૂઆત તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઇને કરી હતી. અમિત શાહને 1997થી સતત પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટવામાં આવ્યા. નરેન્દ્ર મોદીએ 2003માં અમિત શાહને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી બનાવ્યા.

25 જુલાઇ 2010ના રોજ ધરપકડ
26 નવેમ્બર 2005ના રોજ ગાંધીનગર પાસે થયેલા સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસે અમિત શાહ પર ગ્રહણ લગાવી દિધું. આ કેસમાં સીબીઆઇએ અમિત શાહ અને ગુજરાતના કેટલાક પોલીસ ઓફિસરો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઇ 2010ના રોજ અમિત શાહ આ કેસમાં ધરપકડ કરવામાં આવી અને તેમને ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં રહેવું પડ્યું. તેમને જામીન તો મળી ગયા પરંતુ ગુજરાત જવા પર કોર્ટે પ્રતિબંધ લગાવી દિધો. સપ્ટેમ્બર 2012માં સુપ્રીમ કોર્ટે આ પાબંધી હટાવી દિધી, પરંતુ કોર્ટે કેસને મુંબઇ ટ્રાંસફર કરી દિધો. જો કે અમિત શાહ પોતાને નિર્દોષ ગણાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
