પંજાબમાં પંજા પર સંકટ, અંબિકા સોનીનો મુખ્યમંત્રી બનવાનો ઇન્કાર
ગાંધી પરિવારની નજીક ગણાતી અંબિકા સોનીએ મુખ્યમંત્રી બનવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તે પંજાબની રાજનીતિમાં આવવા માંગતા નથી. આવા સમયે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવે કહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે નહીં.
પંજાબમાં નેતૃત્વની પસંદગી અંગે કોંગ્રેસ પક્ષમાં પરિસ્થિતિ જટિલ બની રહી છે. ગાંધી પરિવારની નજીક ગણાતી અંબિકા સોનીએ મુખ્યમંત્રી બનવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તે પંજાબની રાજનીતિમાં આવવા માંગતી નથી. આવા સમયે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ પરગત સિંહે કહ્યું છે કે, રવિવારના રોજ કોંગ્રેસના ધારાસભ્યો (CLP)ની કોઈ બેઠકનું આયોજન કરવામાં આવશે.

પરગત સિંહે કહ્યું - આ બધું કોંગ્રેસ હાઇકમાન્ડ પર નિર્ભર કરે છે
અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રીની જાહેરાત CPLની બેઠકમાં કરવામાં આવશે. જો કે, પરગત સિંહે કહ્યું છે કે, આ બધું કોંગ્રેસ હાઇકમાન્ડ પર નિર્ભર કરે છે. આ હાઇકમાન્ડનો અધિકાર છે. CPLની બેઠક શનિવારના રોજ યોજાઈ હતી અને તેને આદેશ આપવામાં આવ્યો છે. બીજી CLP બેઠકની જરૂર નથી.
અંબિકા સોનીએ મુખ્યમંત્રી બનવાનો કર્યો ઇન્કાર
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ અંબિકા સોનીએ પંજાબના મુખ્યમંત્રી બનવા માટે પાર્ટી હાઇકમાન્ડની ઓફરનો અસ્વીકાર કર્યો છે. સોનીએ કથિત રીતે કહ્યું કે, તે આવા સમયે મુખ્યમંત્રી બનવા માંગતી નથી અને પંજાબમાં માત્ર એક શીખને જ મુખ્યમંત્રી બનાવવો જોઈએ.
કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ સિંહ વૈદના જણાવ્યા મુજબ અમે સોનિયા ગાંધીના આદેશની રાહ
ચંદીગઢમાં સુનીલ જાખરને મળ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ સિંહ વૈદના જણાવ્યા મુજબ અમે સોનિયા ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ટૂંક સમયમાં CPLની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પાછળ એક પૃષ્ઠભૂમિ અને મુદ્દાઓ છે.
CLPની બેઠક રવિવારની સવારે 11 કલાકે મળવાની હતી
આ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, પંજાબના આગામી મુખ્યમંત્રીનું નામ રવિવારે 11 કલાકે યોજાનારી CLP બેઠકમાં નક્કી કરવામાં આવે તેવી શક્યતા હતી. સોનિયા ગાંધી ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરશે, જે અમરિંદર સિંહની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી જેને પણ પસંદ કરશે, દરેક તેને સર્વ સંમતિથી સ્વીકારશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
