એમેઝોને જબરજસ્તી નોકરીથી કાઢવાના આરોપો ફગાવ્યા, કંપનીએ કહ્યું- લોકો જાતે છોડી રહ્યાં છે
મલ્ટીનેશનલ કંપની એમેઝોને જે રીતે હજારો કર્મચારીઓને પોતાનાથી રાજીનામું આપવા માટે મેઇલ કર્યા, તે પછી કંપની સતત હેડલાઇન્સમાં છે. પરંતુ હવે એમેઝોન તરફથી આ સમગ્ર મામલામાં સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યું છે કે અમે કોઈને નોકરીમાં
મલ્ટીનેશનલ કંપની એમેઝોને જે રીતે હજારો કર્મચારીઓને પોતાનાથી રાજીનામું આપવા માટે મેઇલ કર્યા, તે પછી કંપની સતત હેડલાઇન્સમાં છે. પરંતુ હવે એમેઝોન તરફથી આ સમગ્ર મામલામાં સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યું છે કે અમે કોઈને નોકરીમાંથી કાઢી મૂક્યા નથી, લોકો પોતાની નોકરી જાતે જ છોડી રહ્યા છે. હકીકતમાં શ્રમ મંત્રાલય દ્વારા એમેઝોન ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી હતી. જે બાદ બુધવારે એમેઝોનના પ્રતિનિધિઓ બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન એમેઝોને કહ્યું કે અમે કર્મચારીઓને કાઢી મૂક્યા નથી, પરંતુ જેમણે વોલેંટ્રી સેપરેશન પ્રોગ્રામ(સ્વૈચ્છિક રાજીનામું) પસંદ કર્યું છે તેમને જવા દેવામાં આવ્યા છે.

એમેઝોને આરોપોથી કર્યો ઇનકાર
કર્મચારીઓના હિત માટે કામ કરતી પુણે સ્થિત એક સંસ્થાએ ગયા અઠવાડિયે એક અરજી દાખલ કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે રાજ્યના શ્રમ મંત્રાલયે આ બાબતની તપાસ કરવી જોઈએ કે શું કર્મચારીઓને અનૈતિક રીતે કાઢી મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે એક ઈ-મેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આઈટી યુનિયને દાવો કર્યો હતો કે એમેઝોન કર્મચારીઓને બળજબરીથી કાઢી મૂકે છે. કંપની મોટાભાગે ભારતમાં કર્મચારીઓની છટણી કરી રહી છે.

30 નવેમ્બર સુધી મળ્યુ હતુ અલ્ટિમેટમ
તમને જણાવી દઇએ કે એમેઝોને 10,000 કર્મચારીઓની હકાલપટ્ટીની પ્રક્રિયા શરૂ કરી છે, કર્મચારીઓને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ પોતે રાજીનામું આપે અને કંપની દ્વારા આપવામાં આવતી રોકડ સહાય સ્વીકારે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ એમ પણ કહ્યું કે એમેઝોન 2023માં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જેથી તે તેના બિઝનેસ પરનો વધારાનો બોજ ઘટાડી શકે.

મોટી સંખ્યામાં રોજગારી છીનવાઇ
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ એમેઝોનના પ્રતિનિધિ બુધવારે શ્રમ વિભાગ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેણે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે એવા કોઈપણ આરોપોને ફગાવી દીધા છે કે કંપની બળજબરીથી લોકોને નોકરીમાંથી બહાર ફેંકી રહી છે. એમેઝોન, મેટા, ટ્વિટરના કર્મચારીઓને એક પછી એક બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે કંપનીએ કર્મચારીઓની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની 11,000 કર્મચારીઓની છટણી કરશે. ટ્વિટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 50 ટકા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે. ગૂગલ અને એચપી જેવી કંપનીઓ પણ કર્મચારીઓની છટણી કરી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
