અલાહાબાદ હાઈકોર્ટેનો બકરી ઈદની કુરબાની પર મોટો આદેશ, ખુલશે સ્લોટર હાઉસ
બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે.
બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે મોટા જાનવરોની કુરબાની માટે ત્રણ દિવસ સુધી સ્લોટર હાઉસ ખોલવામાં આવશે. હાઈકોર્ટે જિલ્લાધિકારી અલાહાબાદને નિર્દેશ આપ્યા છે કે 22 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી જાનવરોની કરબાની સ્લોટર હાઉસમાં થશે જેના માટે વ્યવસ્થા કરવામાં આવે.

શું છે મામલો
બકરી ઈદના તહેવાર પર મોટા જાનવરોની કુરબાની માટે ગયા મહિને મુસ્લિમ સમાજના લોકો જિલ્લાધિકારી તેમજ શાસન પાસે સ્લોટર હાઉસ ખોલવાની માંગ કરી રહ્યા હતા. સતત બેઠકો અને ઘણા પ્રતિનિધિમંડળોએ મોટા અધિકારીઓ તેમજ સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી. જેના પર આશ્વાસન તો મળ્યુ હતુ પરંતુ હજુ સુધી કોઈ પહેલ શરૂ થઈ નહોતી. હવે જ્યારે બકરી ઈદનો તહેવાર નજીક હતો ત્યારે કોઈ રસ્તો ન દેખાતા મુસ્લિમ સમાજે લોકોને અલાહાબાદ હાઈકોર્ટની શરણ લીધી. જનહિત યાચિકા દાખલ કરતા સ્લોટર હાઉસ ખોલીને મોટા જાનવરોને સ્લોટર હાઉસ સુધી લઈ જવા તેમજ કુરબાની બાદ તેને ઘર સુધી લઈ જવા માટે મંજૂરી આપવાની માંગ કરી હતી. યાચિકામાં આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલિસ સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે મુસ્લિમ સમાજને રાહત આપતા તેમની માંગ પૂરી કરવા માટે જિલ્લા અધિકારીને નિર્દશો આપ્યા છે.
હાઈકોર્ટમાં શું થયુ
અલાહાબાદ હાઈકોર્ટમાં જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ દયાશંકર ત્રિપાઠીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી. કોર્ટમાં બકરી ઈદ પર હંમેશા અપીતી કુરબાની તરીકે જૂના સ્લોટર હાઉસના પુરાવા, ધાર્મિક કથા તેમજ જૂની માન્યતાઓની દલીલો કરવામાં આવી. કુરબાનીના ધાર્મિક મહત્વની આજીજી બાદ હાઈકોર્ટે સરકારનો પણમ પક્ષ જાણવા ઈચ્છ્યો અને કોઈ ઠોસ આપત્તિ ના હોવા બાદ હાઈકોર્ટે અલાહાબાદના સ્લોટર હાઉસમાં મોટા જાનવરોની કુરબાનીની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે યાચિકામાં કરેલી માંગ અનુસાર પોલિસ સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશો આપ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
