કર્ણાટક ભાજપ નેતા ઈશ્વરપ્પાનુ વિવાદિત નિવેદન, કહ્યુ - બધી મસ્જિદોની જગ્યાએ બનાવાશે મંદિર
ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટક સરકારમાં પૂર્વ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવશે. જ્યાં જ્યાં મુઘલોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે, તે તમામ જગ્યાઓ પર મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવશે.
અગાઉ એપ્રિલ મહિનામાં ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે અજાન માથાનો દુખાવો છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, જ્યારે ભાષણની વચ્ચે અજાન થવાનું શરૂ થયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અજાન માથાનો દુખાવો છે. તે સમયે પણ તે ચર્ચામાં આવ્યા હતા.

હાવેરીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પૂર્વ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હિંદુ ધર્મને નફરત કરે છે અને જો મુસ્લિમ ન હોત તો કોંગ્રેસ પાર્ટી મરી ગઈ હોત. કોંગ્રેસ માટે મુસ્લિમો તેમનો પરિવાર છે, કર્ણાટકમાં કોંગ્રેસ મુસ્લિમોના કારણે જ અસ્તિત્વ ધરાવે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં ઈશ્વરપ્પાએ ચૂંટણીની રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર તેમના સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડે, તો તેમણે કહ્યું, "હું હાઇકમાન્ડ પાસે મારા પુત્ર માટે ટિકિટ નહિ માંગુ. પાર્ટી હાવેરીમાંથી જેને પણ ટિકિટ આપશે હું તેની સાથે રહીશ."
આ પહેલા ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે પાર્ટીમાં અનુશાસનનો અભાવ છે, જેના માટે પાર્ટી અધ્યક્ષે જરૂરી પગલાં લેવા જોઈએ. વાસ્તવમાં ભાજપના કેટલાક નેતાઓએ ચૂંટણીમાં હાર માટે પાર્ટીના એડજસ્ટમેન્ટની રાજનીતિને જવાબદાર ગણાવી છે.
જે બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો.આ દરમિયાન ઇશ્વરપ્પાએ કહ્યું કે આ મતભેદ માટે કોંગ્રેસનો પ્રભાવ જવાબદાર છે. ભાજપ હાઈકમાન્ડ મજબૂત છે, યોગ્ય સમય આવશે ત્યારે પગલાં લેવામાં આવશે. પરંતુ ભાજપમાં જે રીતે આ પ્રકારની ચર્ચા ખુલ્લેઆમ થઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આવી વસ્તુઓ બંધ બારણે થવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
