અયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB
અયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB
લખનઉઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો ફેસલો લીધો છે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસે કહ્યું કે બોર્ડે ફેસલો લીધો છે કે અમે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશું. જણાવી દઈએ કે 9 નવેમ્બરે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે આપવાનો આદેશ આપ્યો હતો, સાથે જ મસ્જિદ નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વના સ્થળે પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો હતો.

મુસલમાન અન્ય કોઈ જગ્યા નહિ સ્વીકારે
બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે મસ્જિદની જમીનને બદલે મુસલમાન કોઈ અન્ય જગ્યા નહિ સ્વીકારે. અમે ફેસલો કર્યો છે કે અમે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશું. બોર્ડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ફેસલામાં કેટલાય અંતરવિરોધ છે, જ્યારે બહારથી મૂર્તિ લાવી મંદિરમાં રાખી લેવામાં આવી તો આખરે તેને કેવી રીતે દેવતા માની લેવામાં આવ્યા. એએસઆઈના રિપોર્ટ પર પણ બોર્ડે સવાલ ઉઠાવતા કહ્યું કે એએસઆઈના રિપોર્ટમાં આ સાબિત નથી થઈ શક્યું કે મસ્જિદનું નિર્માણ કોઈ મંદિર તોડીને કરાયું હોય. કોર્ટે ખુદ આ વાત માની છે કે મસ્જિદને કોઈ મંદિર તોડીને નહોતી બનાવાઈ.

ગુંબજ નીચે મંદિર હોવાના એકેય પ્રમાણ નથી
પર્સનલ લૉ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે 1949માં મસ્જિદની અંદર મૂર્તિ રાખવાને સુપ્રીમ કોર્ટે બિન કાયદેસર માન્યું છે. એટલું જ નહિ બોર્ડે કહ્યું કે ગુંબજ નીચે જન્મભૂમિ હોવાના કોઈ પ્રમાણ મળ્યા નથી. ખુદ સુપ્રીમ કોર્ટે આ વાત માની છે. કોર્ટે આ વાતને પણ માની છે કે બાબરી મસ્જિદમાં છેલ્લે 16 સપ્ટેમ્બર 1949ના રોજ નમાજ પઢવામાં આવી હતી.

અમને ખબર છે અરજી ફગાવાઈ જશે
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક ત્રણ કલાક સુધી ચાલી. બેઠક બાદ જમીયત ઉલેમા હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને ખબર છે કે રિપ્યૂ પિટિશન 100 ટકા રદ્દ થઈ જશે, પરંતુ છતાં આ અમારો હક છે. અગાઉ મદનીએ કહ્યું હતું કે કોર્ટનો ફેસલો અમારી સમજથી બહાર છે. કાનૂન અને ન્યાયની નજરમાં ત્યાં બાબરી મસ્જિદ હતી અને કયામત સુધી મસ્જિદ જ રહેશે, પછી તેને ગમે તે નામ કે સ્વરૂમ કેમ ન આપી દેવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
