હિન્દુઓની આસ્થા સાથે રમી રહી છે અખિલેશ સરકારઃ ભાજપ
લખનઉ, 3 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં છેલ્લા 9 વર્ષથી અનવરત ચાલી રહેલી રામકથા અને રામલીલાને ધનાભાવ બંધ કરવાની વાતની આકરી ટીકા કરતા પ્રદેશની સપા સરકાર પર કરોડો હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ પર વ્રજઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે આજે અહીં સંવાદદાતાઓ સાથે ચર્ચા દરમિયાન આરોપ લગાવતા કહ્યું કે, પ્રદેશની સપા સરકાર મુસ્લિમ તૃષ્ટિકરણમાં એટલી અંધ થઇ ગઇ છે કે તે હિન્દુઓની આસ્થાઓ સાથે રમી રહી છે.
તેમણે કહ્યું કે, પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગના હેઠળ સ્વયતશાસી અયોધ્યા શોધ સંસ્થાન છેલ્લા નવ વર્ષથી સતત રામલીલાનું આયોજન કરી રહ્યું હતું. પ્રદેશ સરકાર દ્વારા આવશ્યક ધનરાશી જારી નહીં થવાના કારણે આ રામલીલાના મંચન અને રામકથાનું આયોજન 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું. આ કરોડો હિન્દુઓની આસ્થાને આહત કરવાની વાત સમાન છે. પાઠકે કહ્યું અયોધ્યા સ્થિત તુલસી સ્મારક ભવનમાં ઘનાભાવના કારણે માત્ર રામલીલા જ બંધ થઇ નથી થઇ પરંતુ ત્યાં થતી રામકથાને પણ બંધ કરી દેવામા આવી છે.
તેનાથી સંત મહાત્માઓ અને ઘર્મભીરુ જનતામાં આક્રોશ છે, એક તરફ તો વિકાસ માટે આંવટિત ઘનરાશી કુપ્રબંધનના કારણે સરકાર ખર્ચ નથી કરી શકતી, તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા માત્ર એટલા માટે બંધ કરી દેવામાં આવે કે સરકાર બજેટ આપી નથી શકતી. એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે કહ્યું કે સરકારની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિની પરાકષ્ટાનું પરિણામ થઇ રહ્યું છે કે હિન્દુ માન્યતાઓ પર વ્રજઘાત કરી રહી છે, સતત ભગવાન બુદ્ધની પ્રતિમાઓનું ખંડન જારી છે. આજે બહરાઇચ જનપથમાં મિહીંપુરવાના કંજીબાગ સ્થિત બુદ્ધ વિહારમાં ભગવાન બુદ્ધની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
