ઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ
કૉમર્શિયલ વિમાન સેવાઓ લૉકડાઉનમાં બંધ છે પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ છે.
દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના વધતા સંકટ વચ્ચે લૉકડાઉન લંબાવીને 31 મે કરી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન કૉમર્શિયલ વિમાન સેવાઓ પણ બંધ જ રહેશે. પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ છે. આ અંગેની માહિતી સૂત્રોએ આપી છે. જો કે સ્પાઈસજેટ એરલાઈન્સના પ્રવકતાએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે બુકિંગ 15 જૂન સુધી બંધ રહેશે. વળી, ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ કહ્યુ કે તે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 25 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગ્યા બાદથી જ કૉમર્શિયલ વિમાન સેવાઓ બંધ છે. સોમવારે એક સૂત્રએ જણાવ્યુ કે, 'ઘરેલુ એરલાઈન્સે જૂનથી પોતાની ફ્લાઈટો માટે બુકિંગ ખોલી દીધુ છે.' બુકિંગ શરૂ થતા ઈન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી કરવામાં આવી નથી. વળી, સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (એપીએઆઈ)ના રાષ્ટ્રીય અધ્ય સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા વિશે અમુક એરલાઈન કંપનીઓની ટીકા પણ કરી છે. તેમણે ટ્વિટ કરીને દાવો કર્યો કે, 'અમે એ સમજીએ છીએ કે ઈન્ડિગો, સ્પાઈસજેટ, ગોએરે એમ વિચારીને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કરી દીધુ છે કે એક જૂનથી પરિચાલન શરૂ થઈ જશે. કૃપા કરીને તેમના ચક્કરમાં ન પડો. તમારા પૈસા ઉધાર ખાતા જશે. સારુ રહેશે કે તમે તેને પોતાની પાસે સુરક્ષિત રાખો.' દેશવ્યાપી લૉકડાઉન 31 મે સુધી લંબાવવાના તરત જ બાદ ઉડ્ડયન નિયામક DGCAએ રવિારે કહ્યુ કે બધી શિડ્યુલ કરવામાં આવેલી કૉમર્શિયલ ફ્લાઈટો 31 મેની અડધી રાત સુધી બંધ કરી દેવામાં આવી છે.
આમાં એ પણ કહેવામાં આવ્યુ, 'વિદેશી અને ઘરેલુ એરલાઈન્સે પોતાનુ પરિચાલન શરૂ થવા વિશે સૂચિત કરવામાં આવશે, ભલે તે આંતરરાષ્ટ્રીય હોય કે ઘરેલુ.' એરલાઈન્સે રદ ઉડાનો માટે લૉકડાઉનના શરૂઆતના તબક્કામાં રોકડમાં ગ્રાહકોને પૈસા પાછા નહોતા આપ્યા ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એ સમય દરમિયાન બુક કરવામાં આવેલ ટિકિટોને રદ કરવાની માંગ કરનાર ગ્રાહકોને પૂર્ણ વાપસી કરવા માટે કહ્યુ હતુ. આ અંગે એડવાઈઝરી ત્યારે જારી કરવામાં આવી હતી જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘરેલુ એરલાઈન્સના તેમની સાથેના વ્યવહાર વિશે ફરિયાદ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
