એરલાઈન્સે વચ્ચેની સીટ ખાલી રાખવાના પ્રસ્તાવને માનવાનો કર્યો ઈનકાર, આપ્યુ આ સૂચન
વિમાનની વચ્ચેની સીટ ખાલી રાખવાનો પ્રસ્તાવ એરલાઈન્સે ઠુકરાવી દીધો છે. આ સાથે જ એક સૂચન પણ કર્યુ છે.
કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટંસીંગને એક કારગર ઉપાય માનવામાં આવી રહ્યો છે. આના કારણે દેશમાં લૉકડાઉન લાગેલુ છે અને લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટે બિલકુલ મનાઈ કરવામાં આવેલી છે. લોકોને કહેવામાં આવ્યુ છે કે જો તેમને બહાર નીકળવુ પણ પડે તો સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન જરૂર કરે જેથી કોરોના વાયરસની ચેનને તોડી શકાય. આ દરમિયાન બસ, રેલ અને હવાઈ સેવાઓ ફરીથી ક્યારે શરૂ થશે એ સવાલ છે. જો કે હવાઈ સેવા શરૂ કરવા અંગે સરકારે એક પ્રસ્તાવ રાખ્યો હતો.

આ રીતે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકાય
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે વિમાનની વચ્ચેની સીટ ખાલી રાખીને હવાઈ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે પરંતુ એરલાઈન્સે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. આ સાથે જ એક સૂચન પણ કર્યુ છે. એરલાઈન્સે પ્રમોટર્સને સરકારના આ પ્રસ્તાવને યોગ્ય ન ગણાવીને કહ્યુ છે કે આ રીતે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકાય. જો આમ કરીએ તો આનાથી એરલાઈન્સની અર્થવ્યવસ્થા પણ ખરાબ થઈ જશે જે પહેલેથી જ કોરોના વાયરસની મહામારીના કારણે ખૂબ જ ખરાબ છે.

એરલાઈન્સે આપ્યુ સૂચન
એરલાઈન્સે સૂચન આપતા કહ્યુ કે સૂટ, ગ્લવ્ઝ અને માસ્ક જેવા પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ માત્ર મુસાફરો માટે જ નહિ પરંતુ ક્રૂ મેમ્બર્સ માટે પણ જરૂરી હોવુ જોઈએ. સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે કહ્યુ કે વચ્ચેની સીટ ખાલી રાખવાથી બે લોકો વચ્ચે અંતર નહિ રાખી શકાય જેનાથી તે સુરક્ષિત રહી શકે. એના કરતા માસ્ક અને ગ્લવ્ઝ દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. આ પહેલા ડીજીસીએ પણ નક્કી કર્યુ હતુ કે જ્યારે એરલાઈન્સ સેવાઓ શરૂ થશે તો ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવશે. જો કે આના પર એરલાઈન્સે સ્પષ્ટ કહ્યુ કે વચ્ચેની સીટ ખાલી રાખવાથી 2 મીટરનુ અંતર સુનિશ્ચિત કરી શકાતુ નથી કે જે આરોગ્ય એજન્સીઓએ સૂચવ્યુ છે.

માસ્ક અને ગ્લવ્ઝ અનિવાર્ય
એરઈન્ડિયાના એક્ઝીક્યુટીવનુ કહેવુ છે કે મુસાફરોને એ સૂચિત કરી દેવામાં આવશે કે વિમાનમાં મુસાફરી માટે માસ્ક અને ગ્લવ્ઝ અનિવાર્ય છે. તેમણે વિમાનયાત્રા પૂરી થવા સુધી આ બંને ઉતારવાની અનુમતિ નહિ હોય. કેબિન ક્રૂને પણ પ્રશિક્ષિત કરવામાં આવી શકે છે કે તે આના માટે એવા જ દિશા-નિર્દેશ આપે જેવા કે સીટ બેલ્ટ બાંધવા માટે આપે છે. એરલાઈન્સ એ વાત પર પણ સંમત થયા છે કે નજીકના ભવિષ્યમાં કોઈ ઑનબૉર્ડ ભોજન ન હોવુ જોઈએ જેથી લોકો માસ્ક ન ઉતારી શકે. એર ઈન્ડિયા એક્ઝઈક્યુટીવે કહ્યુ, આપણે એ સુનિશ્ચિત કરવુ પડશે કે ડ્રોપલેટ્સ બીજાને સંક્રમિત ન કરી શકે. ઉચિત સંરક્ષણ અને સામાજિક અંતરથી આ સુનિશ્ચિત કરવામાં આવશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
