અયોધ્યા વિવાદઃ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરના શામેલ થવા પર શું બોલ્યા ઓવેસી?
અયોધ્યા કેસની મધ્યસ્થતામાં શ્રી શ્રી રવિશંકરને શામેલ કરવા પર આઈઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે.
અયોધ્યા વિવાદ પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસને મધ્યસ્થતા માટે મોકલી દીધો. અયોધ્યા કેસની મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટીસ ખલીફૂલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલમાં જસ્ટીસ ખલીફૂલ્લા (રિટાયર્ડ) ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને શ્રીરામ પંચુ પણ શામેલ છે. વળી, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામ રાજકીય દળો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. આઈઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે.

અસદુદ્દીન ઓવેસીએ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરનું નામ શામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી. ઓવેસીએ કહ્યુ, 'શ્રી શ્રી રવિશંકરે પહેલા કહ્યુ હતુ કે જો મુસ્લિમ (વિવાદિત ભૂમિ) પર પોતાનો દાવો નહિ છોડે તો ભારત સીરિયા બની જશે. માટે સુપ્રીમ કોર્ટે કોઈ તટસ્થ વ્યક્તિને મધ્યસ્થતા માટે નિયુક્ત કર્યા હોત તો સારુ રહેત.' તમને જણાવી દઈએ કે શ્રી શ્રી રવિશંકર આર્ટ ઑફ લિવિંગ નામની સંસ્થાના સંસ્થાપક છે. આર્ટ ઑફ લિવિંગની મદદથી ઘણી હોસ્પિટલો પણ ચલાવે છે.
વળી, સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થતા માટે પેનલની રચના કરવાના નિર્ણય પર બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જફરયાબ જિલાનીની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યુ, 'અમે પહેલા પણ કહી ચૂક્યા છે કે અમે મધ્યસ્થતામાં સહયોગ કરવા તૈયાર છે. હવે આ કેસમાં અમારે જે કંઈ પણ કહેવાનુ છે તે અમે મધ્યસ્થતા પેનલને કહીશુ, આના પર બહાર કંઈ નહિ કહીએ.'
AIMIM Chief Asaduddin Owaisi on SC order in Ayodhya case: Sri Sri Ravi Shankar who has been appointed a mediator had earlier made a statement 'if muslims don't give up their claim on Ayodhya,India will become Syria.' It would've been better if SC had appointed a neutral person. pic.twitter.com/PthrJvYYdY
— ANI (@ANI) 8 March 2019
આ ચુકાદા પર જસ્ટીસ ખલીફૂલ્લા (રિટાયર્ડ)ની પહેલી પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યુ, 'હું સમજુ છુ કે એસસીએ મારી અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. મને હજુ સુધી આદેશની પ્રત મળી નથી. હું કહી શકુ કે જો સમિતિની રચના કરવામાં આવી છે તો અમે આ મુદ્દાને ઉકેલવા માટે દરેક સંભવ પ્રયત્ન કરીશુ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
