એઆઇએડીએમકેના સાંસદે શશીકલાને મુખ્યમંત્રી બનવા કર્યો આગ્રહ
એઆઇએડીએમકેના સાંસદે કહ્યુ કે આવનારા સમયમાં ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે લોકોના દિલમાં સમર્થન મેળવવુ જરુરી છે. તેમણે શશીકલાને તરત જ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો છે...
શશીકલા નટરાજન દ્વારા એઆઇએડીએમકેના જનરલ સેક્રેટરીનું પદ સંભાળવાના માત્ર 2 દિવસ બાદ જ એઆઇએડીએમકેના સાંસદ અને લોકસભા સ્પીકર થંબુદરાઇએ આગ્રહ કર્યો છે કે તે તાત્કાલિક ધોરણે તમિલનાડુના મુખ્યમંત્રી પદને ગ્રહણ કરે. શશીકલા માટે આ અપીલ શનિવારે એઆઇએડીએમકેના સભ્યો સામે અપાયેલ ભાવુક ભાષણ બાદ કરવામાં આવી છે.

મીડિયાને જારી કરેલા પત્રમાં એઆઇએડીએમકે પાર્ટીના પ્રચાર સચિવ થંબુદુરાઇએ લખ્યુ છે, 'જ્યારે બે વર્ષમાં ચૂંટણી થવાની છે તો એવામાં અમારા પક્ષે સારી રીતે કામ કરીને લોકોના દિલમાં સમર્થન મળવુ જરુરી છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે આદરણીય ચિનમ્મા (શશીકલા) ને તાત્કાલિક ધોરણે સરકારનું નેતૃત્વ કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી પદ સભાળવાનો હું આગ્રહ કરુ છુ. આ પહેલા રાજસ્વ મંત્રી ઉદયકુમાર અને એઆઇએડીએમકેના પ્રવકતા પોન્નેયન પણ શશીકલાને તમિલનાડુના મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવા માટે આગ્રહ કરી ચૂક્યા છે.
તમને જણાવી દઇએ કે હાલના સમયમાં તમિલનાડુના મુખ્યમંત્રી પદને ઓ પનીરસેલ્વમ સંભાળી રહ્યા છે. તેમણે આ પદ જે જયલલિતાના મોત બાદ 5 ડિસેમ્બર, 2016 ના દિવસે ગ્રહણ કર્યુ હતુ. આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ફિલ્મોમાંથી રાજકારણમાં ગયા હતા અને લાંબી બિમારી બાદ તેમનુ મોત થયુ હતુ. ત્યારબાદ આ પદ ઓ પનીરસેલ્વમને સંભાળવા માટે આપવામાં આવ્યુ હતુ. જયલલિતાનું મોત 5 ડિસેમ્બરે રાતે 11.30 કલાકે થયુ હતુ. જયલલિતાના મોત બાદ સવાલો અને શંકાઓનો દોર શરુ થઇ ગયો હતો. જયલલિતાના નિધન પર મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે પણ શંકા જતાવી હતી. તેમણે કહ્યુ હતુ કે જયલલિતાના મોત બાદ શંકાઓ પરથી પડદો ઉઠવો જોઇએ. આ પહેલા પણ આ પ્રકારની માંગો ઉઠી હતી. ચેન્નઇ સ્થિત એક બિન સરકારી સંગઠને પણ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
