"સલામ" છે ભારતીય સેનાને, વી.કે.સિંહનું ભવ્ય સ્વાગત
યમનમાં ફસાયેલા હજારો લોકોને સુરક્ષિત રીતે ભારત લાવનાર વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહ કાલે મોડી રાતે પરત ફર્યા. અને આ સાથે જ "ઓપરેશન રાહત" પણ પૂર્ણ થયું. ત્યારે નવી દિલ્હીમાં વી.કે. સિંહનું ભવ્ય સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું.
એરપોર્ટ પહોંચ્યા પછી વી.કે. સિંહે કહ્યું કે અમે સાડા પાંચ હજાર ભારતીયોનું સુરક્ષિત ભારત લાવવામાં સફળ રહ્યા છીએ. વધુમાં અમે 900 વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત યમનથી નીકાળ્યા છે.
ત્યારે કેવી રીતે સેનાએ આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યું જુઓ આ તસવીરોમાં
|
3 દિવસના બાળકને ઇનક્યૂબેટરમાં લાવ્યા
આ ઓપરેશનની કેટલું સફળ રહ્યું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું. યમનથી માત્ર 3 દિવસના બાળકને એક ડોક્ટર સાથે ઇનક્યૂબેટરમાં ભારતીય સેનાએ, ભારત લાવ્યું.
|
821 યાત્રીઓ યમનથી સ્વેદેશ લવાયા
ઓપરેશન રાહતના છેલ્લા દિવસે 821 યાત્રીઓને યમનથી ભારત પરત લવાયા.
|
ભારે મુસીબતો વચ્ચે પણ ભારત રહ્યું અડગ
જનરલ વી.કે. સિંહે કહ્યું કે આ સમગ્ર ઓપરેશન વખતે અનેક મુશ્કેલીઓ આવી પણ એક પણ મુશ્કેલી ભારતીય સેનાના જુસ્સા સામે ટકી ના શકી. છેલ્લા કાફલાને નીકાળતી વખતે બોમ્બીંગ થતા ફ્લાઇટને રોકવું પડ્યું અને છેવટે અન્ય એક માર્ગથી અમે ભારત પરત ફર્યા.
|
બીબીસીએ પણ કર્યા ભારતના વખાણ
જાણીતી ન્યૂઝ ચેનલ BBCએ પણ ભારતના વખાણ કરતા કહ્યું કે એકમાત્ર ભારતની ફ્લાઇટને યમનના અમુક હવાઇ અડ્ડા પર ઉડવા દેવાની પરવાનગી છે. જે ભારત સરકારની તટસ્થ વિદેશ નિતીના કારણે શક્ય બન્યું છે.
|
સુષ્મા સ્વરાજે પણ આપી પુષ્ટી
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે યમનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવ્યું છે અને ઓપરેશન રાહત પૂર્ણ થયું.
|
અકબરુદ્દીન કહ્યું સફળ રહ્યું "ઓપરેશન રાહત"
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ઓપરેશન રાહત વિષે વધુ માહિતી આપતા કહ્યું કે છેલ્લા દિવસે 630 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા. નોંધનીય છે કે 18 વિશેષ વિમાનોની મદદથી આ નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. ત્યારે ઓપરેશ ખૂબ જ સફળ રહ્યું છે તે વાતની પુષ્ટી અકબરુદ્દીને કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
