મોદીની જાપાન યાત્રાને લઇને 7 ચોંકાવનારી અફવાઓ
ગાંધીનગર: એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરેક રીતે સફળ ગણવામાં આવી રહી છે તો બીજીતરફ અફવાઓ રાજકીય ફીજાઓમાં ફેલાઇ રહી છે. આંતરવિગ્રહ જેવી આ અફવાઓ જો ધ્યાન આપીએ તો ઘણા પાસાઓની સાથે તેને સમજાવવામાં આવી રહ્યું છે.
જાપાન-ભારતની વચ્ચે આર્થિક કરારથી જ્યાં આખો દેશ ગદગદ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા સરકાર વચ્ચેની ખામીઓને શોધી-શોધીને કાઢવામાં આવી રહી છે. ક્યાંક વિપક્ષ તો ક્યાંક રાજકીય જાણકારો આ સમીક્ષાને અંજામ આપી રહ્યાં છે. ફેરવો સ્લાઇડર અને જાણો કઇ-કઇ છે તે અફવાઓ જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સુધીને ટાર્ગેટ પર લેવામાં આવી રહી છે.

વહિવટી 'અફવા'
પીએમઓમાં હવે 'જાપાન પ્લ્સ' કમિટી બનશે. ચર્ચા છે કે આ કમિટી જાપાન સંબંધિત મામલાઓમાં વિદેશ મંત્રાલયની ભૂમિકા તથા પ્રભાવને લગભગ ખતમ કરી દેશે. શું તેને વહિવટી પગલાં તરીકે જોવામાં આવે કે પછી આંતરિક રણનિતી ગણવામાં આવે?

સુષમાનું 'રાજ' ઓછું થઇ રહ્યું છે?
જો કે ગત વિદેશ યાત્રાઓમાં સુષ્મા સ્વરાજ કોઇ કારણસર સામેલ થઇ શકી નહી, તેના પર પણ ચર્ચાનું બજાર ગરમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ એલાનને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર કતરાવવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

પ્રભાવ ઓછો
અફવાઓમાં વધુ એક પાસા પર ચર્ચા છે કે સરકારના કેટલાક કદાવર મંત્રીઓને રાજ્યોની કમાન સોંપીને તેમની તાકાત ઓછી કરવાની રણનિતી અપનાવવામાં આવી રહી છે. હવે આ કેટલું સત્ય છે અને કેટલું ખોટું તે તો રાજકીયનેતા અને પાર્ટી જાણે?

ત્યારે અસફળ, હવે સફળ
અન્ય અફવા એ છે કે પહેલા વિદેહ્સ નીતિ સલાહકાર તરીકે અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂર એસ શંકરનારાયણને લાવવાનો પ્રયત્ન કરવામં આવ્યો હતો પરંતુ ત્યારે વાત બની નહી. આ જ પ્રકારે બ્રાજીલમાં યોજાયેલી બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાનમંત્રીએ સુષ્મા સ્વરાજ સાથે અંતર જાળવી રાખ્યું અને હવે જાપાન પ્રવાસમાં પણ આ અંતરને આ જ રૂપે જોવામાં આવી રહ્યું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પરથી પાછા ફરતી વખતે સુષ્મા સ્વરાજે નેતૃત્વ સંભાળ્યું હતું.

અફવા મુખ્યમંત્રી પદની
પાર્ટીના સૂત્રો દ્વારા કથિત રીતે કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય નેતા ઇચ્છે છે કે જો હરિયાણામાં ભાજપને સરકાર બનાવવા લાયક બહૂમત મળી જાય છે તો હરિયાણાના મુખ્યમંત્રી માટે દિલ્હીથી કોઇ નેતાને મોકલવામાં આવે. જનરલ વી.કે. સિંહ ઉપરાંત સુષ્મા સ્વરાજના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી
એક અફવા છે કે પાર્ટી અને મંત્રાલયોમાં એ ચર્ચા પણ છે કે વિદેશ મંત્રીને હરિયાણાના મુખ્યમંત્રી બનાવ્યા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહને પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરવામાં આવી શકે છે.

નિર્મલા સીતારમણને પણ રદ કરવો પડ્યો મ્યાંમાર પ્રવાસ
વધુ એક અફવા-નાણાંમંત્રાલયમાં રાજ્યમંત્રી નિર્મલા સીતારમણની પણ અવગણના કરતં તેમને પોતાનો મ્યાંમાર પ્રવાસ રદ કરવો પડ્યો હઓત. તેમને સેવા-રોકાણ સંબંધિત ઇંડો-એશિયન કરાર કરવા જવાનું હતું. આ દરમિયાન તેમને વડાપ્રધાનની મહત્વાકાંક્ષી જન ધન યોજનામાં લગાવી દેવામાં આવ્યા તથા અંતિમ સમયે પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
