મુંબઈ એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેના કાર્યકર્તાઓએ તોડ્યુ, કહ્યુ - આ સહન નહિ થાય
મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનો કંટ્રોલ હવે અદાણી ગ્રુપના હાથમાં છે અને શિવસેના શરૂઆતથી જ આના વિરોધમાં રહી છે.
મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનો કંટ્રોલ હવે અદાણી ગ્રુપના હાથમાં છે અને શિવસેના શરૂઆતથી જ આના વિરોધમાં રહી છે. આ દરમિયાન સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટ પરિસરમાં તોડફોડ શરૂ કરી દીધી. વાસ્તવમાં એરપોર્ટ પરિસરમાં લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેનાના કાર્યકર્તાઓએ તોડી દીધુ. માહિતી મુજબ બે ડઝનથી વધુ શિવસેના કાર્યકર્તાઓએ પરિસરમાં ઘુસીને અદાણી ગ્રુપના આ બોર્ડને તોડી દીધુ. શિવસેનાએ આને છત્રપતિ શિવાજીનુ અપમાન ગણાવ્યુ છે અને કહ્યુ છે કે આ સહન કરવામાં નહિ આવે.

એરપોર્ટના ગેટ નંબર 8 પર તોડફોડ
ચોંકાવનારી વાત તો એ છે કે આ દરમિયાન કોઈ સુરક્ષાકર્મી તેમને રોકતો પણ જોવા મળ્યો નહિ. જો કે તોડફોડ થઈ ગયા બાદ પોલિસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી. માહિતી મુજબ શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટના ગેટ નંબર 8 પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને તોડ્યુ છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજની એક મૂર્તિ પણ લાગેલી છે.
એરપોર્ટની બ્રાંડિંગમાં નહિ કરવામાં આવે કોઈ ફેરફારઃ એરપોર્ટ પ્રવકતા
આ ઘટના માટે અદાણી એરપોર્ટના પ્રવકતાની પણ પ્રતિક્રિયા આવી છે. એરપોર્ટના પ્રવકતાએ કહ્યુ છે કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અદાણી એરપોર્ટ્સની બ્રાંડિંગ ઉપરાંત અમે એ જણાવવા માંગીએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની બ્રાંડિંગમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને કરવામાં આવશે પણ નહિ. પ્રવકતાએ કહ્યુ કે CSMIAમાં બ્રાંડિંગ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા(એએઆઈ)ના માનદંડો અને દિશાનિર્દેશોને અનુરૂપ છે. AAHL મોટાપાયે વિમાનન સમુદાયના હિતમાં સરકાર દ્વારા નિર્ધારિત બધા દિશા-નિર્દેશોનુ પાલન કરવાનુ ચાલુ રાખશે.
ગયા મહિને મુંબઈ એરપોર્ટ થઈ ગયુ હતુ અદાણી ગ્રુપના કંટ્રોલમાં
તમને જણાવી દઈએ કે જ્યારેથી એ નિર્ણય લેવામાં આવ્યે કે મુંબઈ એરપોર્ટનુ નામ અદાણી કર્યુ ત્યારથી જ શિવસેના નારાજ છે. જુલાઈ મહિનામાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી એરપોર્ટનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. આની માહિતી ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને આપી હતી. આનો કંટ્રોલ લેતા પહેલા જ અદાણી ગ્રુપની એરપોર્ટમાં લગભગ 74 ટકા ભાગીદારી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
