વૉટ્સએપ જાસૂસી મામલે કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ
સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે.
સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે. આ એ જ જાસૂસી સૉફ્ટવેર છે જેના દ્વારા ભારત સહિત ઘણા દેશો વચ્ચે 1,400 લોકોની ચેટની જાસૂસી કરવામાં આવી છે. જેમાં પત્રકાર અને કાર્યકર્તા પણ શામેલ છે. આ મામલે કાર્યકર્તા સૌરવ દાસે 23 ઓક્ટોબરના રોજ એક આરટીઆઈ દાખલ કરી હતી.

જેમાં તેણે પૂછ્યુ હતુ કે શું ભારત સરકારે એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ સૉફ્ટવેરને ખરીદી લીધુ છે કે પછી તેને ખરીદવાના આદશ આપ્યા છે. આના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 ઓક્ટોબરે કહ્યુ, 'આ રીતની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આના જવાબ માટે જો કોઈ અપીલ કરવી હોય તો 30 દિવસની અંદર કરી શકાય છે.' આ હેકિંગ કે પછી જાસૂસી વિશે ખુદ વૉટ્સએપે પુષ્ટિ કરી છે.
વૉટ્સએપે શું કહ્યુ?
વૉટ્સએપે આની માહિતી પોતાના બ્લૉગમાં આપતા કહ્યુ કે જાસૂસી માટે વીડિયો કૉલિંગ કરવામાં આવ્યો અને પેગાસસ નામના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યુ છે. વૉટ્સએપે ઈઝરાયેલના એનએસઓ ગ્રુપ સામે ફેડરલ કોર્ટ, સૈન ફ્રાન્સિસકોમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જે લોકોની જાસૂસી થઈ તેમના ફોન પર માલવેયર (વાયરસ) મોકલવામાં આવ્યા. આ જાસૂસી એપ્રિલ-મે, 2019 વચ્ચે થઈ. આરટીઆઈનો જવાબ એવા સમયમાં આવ્યો છે જ્યારે આ જાસૂસી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનુ કહેવુ છે કે સરકાર વૉટ્સએપ પર ભારતીય નાગરિકોની ગોપનીયતાના ઉલ્લંઘનથી ચિંતિત છે. આના માટે મેસેજિંગ પ્લેટફોર્મથી જવાબ માંગવામાં આવ્યો છે.
વૉટ્સએપ કેવી રીતે બન્યુ નિશાન?
પેગાસસની મદદથી કોઈ પણ ફોનને હેક કરવાની ઘણી રીતો હોય છે. આના માટે ઘણી વાર હેકર્સ લિંકની મદદ લે છે તો ઘણી વાર એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે. વૉટ્સએપ મામલે કોલિંગ ફીચરની મદદ લેવામાં આવી હતી. સૉફ્ટવેરને ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે વૉટ્સએપના વીડિયો અને ઑડિયો કોલિંગ ફીચરનો ઉપયોગ થયો છે.
શું બોલ્યા રાહુલ ગાંધી?
આના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ છે, સરકાર વૉટ્સએપથી પૂછી રહી છે કે કોણે પેગાસસ ખરીદીને ભારતીય નાગરિકોની જાસૂસી કરી છે, આ તો એવુ છે જેમ મોદી ડસૉને પૂછે કે રાફેલ વિમાન ખરીદીને કોણે પૈસા બનાવ્યા. માહિતી માટે જણાવી દઈએ કે સરકારે વૉટ્સએપને 4 નવેમ્બર સુધી જવાબ આપવા માટે કહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
