આચાર્ય પરમહંસને નજરકેદ કરાયા, આજે જળ સમાધિ લેવાની જાહેરાત કરી છે!
ઉત્તર પ્રદેશના અયોધ્યાની તપસ્વી છાવણીના જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે તાજેતરમાં કેન્દ્ર સરકારને ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' જાહેર કરવાની માંગ કરી હતી.
અયોધ્યા, 2 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના અયોધ્યાની તપસ્વી છાવણીના જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે તાજેતરમાં કેન્દ્ર સરકારને ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ભારતને 2 ઓક્ટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં નહીં આવે તો તે અયોધ્યાની સરયુ નદીમાં જળ સમાધિ લેશે. જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજની જલ સમાધિની જાહેરાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસે તેમને નજરકેદમાં રાખ્યા છે.

આજે સવારે પરમહંસ આચાર્ય મહારાજના ઘરની બહાર મોટી સંખ્યામાં દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમને ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી અને કોઈને પણ તેમના ઘરે જવાની મંજૂરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે સવારથી જ નજરકેદમાં છે.
પરમહંસ આચાર્ય મહારાજે 29 મી સપ્ટેમ્બરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરું છું કે 2 ઓક્ટોબર સુધીમાં ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' જાહેર કરવામાં આવે, નહીં તો હું 2 ઓક્ટોબરના રોજ સરયુ નદીમાં જળ સમાધિ લઈશ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની નાગરિકતા રદ કરવી જોઈએ. પરમહંસ સતત ખ્રિસ્તી અને મુસ્લિમોની નાગરિકતા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પરમહંસ આચાર્યએ 16 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા. તે સમયે, ગૃહમંત્રી અમિત શાહે તેમને ખાતરી આપી હતી, જે બાદ તેમણે પોતાના ઉપવાસ તોડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત પરમહંસ આચાર્ય મહારાજ અનેક વખત પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુક્યા છે. અગાઉ પણ તે આવા વિવાદોને જન્મ આપી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
