જાણો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીરચક્રનુ મહત્વ, ક્યારે આનાથી સમ્માનિત થાય છે સૈનિક
જાણો એવુ શું છે આ ચક્રોમાં અને દેશનો દરેક સૈનિક કેમ આને મેળવવાના સપના જોઈને દેશસેવા માટે સેનામાં જાય છે.
વિંગ કમાંડર અભિનંદન વર્તમાને 27 ફેબ્રુઆરીના રોજ બહાદૂરીપૂર્વક દુશ્મન દેશ પાકિસ્તાનના ફાઈટર જેટ એફ-16 જેટને તોડી પાડ્યુ. વિંગ કમાંડર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે તેમને આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવશે. માત્ર ચાર અક્ષરથી લખેલ વીર ચક્ર બોલવામાં અને લખવામાં બહુ સરળ છે પરંતુ તેને મેળવવો બહુ મુશ્કેલ છે. માત્ર વીર ચક્ર જ કેમ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર હોય કે પછી કીર્તિ ચક્ર જ્યારે કોઈ સૈનિકને આનાથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવે છે તો તે એ સૈનિક નહિ પરંતુ આખા યુનિટ અને આખી સેનાનું સમ્માન બની જાય છે. જાણો એવુ શું છે આ ચક્રોમાં અને દેશનો દરેક સૈનિક કેમ આને મેળવવાના સપના જોઈને દેશસેવા માટે સેનામાં જાય છે.

પરમવીર ચક્ર
પરમવીર ચક્ર ભારતનું સર્વોચ્ચ શૌર્ય સૈન્ય પુરસ્કાર છે અને આ પુરસ્કાર દુશ્મનોની ઉપસ્થિતિમાં ઉચ્ચકોટિની શૂરવીરતા અને બલિદાન માટે આપવામાં આવે છે. મોટાભાગે આ સમ્માન મરણોપરાંત આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી, 1950ના રોજ એ સમયે કરવામાં આવી જ્યારે ભારતને પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત કરવામાં આવ્યુ હતુ. ભારતીય સેનાના કોઈ પણ અંગના અધિકારી કે જવાન આ પુરસ્કારની પાત્રતા મેળવી શકે છે. આ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન બાદ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમજવામાં આવે છે. આ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન બાદ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમજવામાં આવે છે. પરમવીર ચક્ર મેળવનાર શૂરવીરોમાં સૂબેદાર મેજર વીર બન્ના સિંહજી જ એકમાત્ર એવા વ્યક્તિ ગતા જે કારગિલ યુદ્ધ સુધી જીવિત હતા.

મહાવીર ચક્ર
મહાવીર ચક્ર ભારતના યુદ્ધના સમયે વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે પરમવીર ચક્ર બાદ આવે છે. આ સાથે લાગેલી રિબિન અડધી સફેદ અને અડધી નારંગી રંગની હોય છે.

વીર ચક્ર
વીર ચક્ર ભારતના યુદ્ધના સમયે વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકોના અસાધારણ વીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી, 1950ના રોજ થઈ હતી. વિંગ કમાંડર અભિનંદન પહેલા આ પુરસ્કાર વર્ષ 2000માં કારગિલ વૉર સમયે ઑપરેશન વિજયમાં વીરતા દર્શાવનાર હવાલદાર ચુન્ની લાલને આપવામાં આવ્યુ હતુ.

કીર્તિ ચક્ર
કીર્તિ ચક્ર ભારતના શાંતિ સમયના વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ અનુસાર તે મહાવીર ચક્ર બાદ આવે છે. આ સમ્માનની સ્થાપના 4 જાન્યુઆરી, 1952ના રોજ થઈ હતી. 198 બહાદૂરોને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો છે. પુરસ્કાર વાયુસેના અને નૌસેના અધિકારીઓ અને જવાનો ઉપરાંત ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. ઉરી આતંકી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈકને લીડ કરનાર મેજર રોહિત સૂરી કીર્તિ ચક્ર પુરસ્કૃત સૈનિક છે. આ વર્ષે આ પુરસ્કાર સીઆરપીએફના ડેપ્યુટી કમાંડન્ટ હર્ષપાલ સિંહ અને સેનાના જવાન મહાર રેજીમેન્ટના પ્રકાશ જાધવને મરણોપરાંત આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.

અશોક ચક્ર
અશોક ચક્ર ભારતના શાંતિ સમયનું સૌથી સર્વોચ્ચ વીરતા પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા, શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. અશોક ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. અશોક ચક્ર પદક સમ્માન સેનાના જવાન, સામાન્ય નાગરિકને જીવિત કે મરણોપરાંત આપવામાં આવે છે. 1947માં આઝાદી બાદથી અત્યાર સુધી 67 લોકોને અશોક ચક્ર સમ્માન આપવામાં આવ્યા છે. આ સમ્માનની સ્થાપના 4 જાન્યુઆરી, 1952ના રોજ થઈ હતી. વર્ષ 1987માં આ પુરસ્કાર પાકિસ્તાનમાં હાઈજેક સંકટનો સામનો કરનારી એરહોસ્ટેસ નીરજા ભનોટને આપવામાં આવ્યો હતો.

શૌર્ય ચક્ર
શૌર્ય ચક્ર ભારતના શાંતિના સમયનું વીરતા પદક છે. ક્રમ અનુસાર તે કીર્તિ ચક્ર બાદ આવે છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને શાંતિ કાળના સમયે અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારની સ્થાપના 4 જાન્યુઆરી, 1952માં થઈ હતી. શાંતિ કાળમાં અપાતો આ પુરસ્કાર વીર ચક્રને સમકક્ષ જ સમજવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
