અમેઠીમાં કુમાર વિશ્વાસની રેલીનો કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ
લખનઉ, 12 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત સફળતા બાદ આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પણ પોતાને અજમાવવાનું મન બનાવી લીધું છે. આપે દેશભરમાં લગભગ 300 લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ આપના કદાવર નેતા કુમાર વિશ્વાસ અમેઠીથી ચૂંટણી લડશે. આ મુદ્દે કુમાર વિશ્વાસ આજે અમેઠીમાં કેડી સિંહ બાબૂ સ્ટેડિયમથી માંડીને રામલીલા મેદાન સુધી જનવિશ્વાસ રેલી કાઢશે. અમેઠી કોંગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીનો મત વિસ્તાર છે. રાહુલ ગાંધી આ લોકસભા વિસ્તારના સાંસદ છે. અત્રે ઉલ્લેખનીય તાજેતરમાં મળતી માહિતી મુજબ કુમાર વિશ્વાસની રેલીનો વિરોધ કરતાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.
આ રેલી માટે આપે બધી જ તૈયારીઓ પુરી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આપને અમેઠીમાં વધુ સમર્થન મળી રહ્યું છે. કુમાર વિશ્વાસે શનિવારે આદર્શ વ્યાપાર મંડળ દ્વારા પાર્ટીને નૈતિક સમર્થન આપવાની જાહેરાત કરી. આદર્શના અધ્યક્ષ સંજય ગુપ્તા સહિત હજારો વેપારી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એકજુટ થઇ ગયા છે. આપની કોર કમિટીના સભ્ય કુમાર વિશ્વાસે કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં આપ દેશના કોઇપણ મોટા નેતાઓને બાઇપાસનું રાજકારણ કરવા નહી દે.

બીજી તરફ કુમાર વિશ્વાસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો. પ્રદર્શન કરનાર યુવક કુમાર વિશ્વાસ મુર્દાબાદના નારા લગાવી રહ્યાં હતા, બીજી તરફ કુમાર વિશ્વાસની ઉપર ઇંડા ફેકવામાં આવ્યા. પ્રદર્શન કરનાર લોકોને મુલાયમ સિંહ યૂથ બ્રિગેડના સભ્ય હોવાના સમાચાર છે. હંગામા બાદ કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આ પ્રકારના હંગામાથી કોઇ ફરક પડતો નથી. વિરોધી પાર્ટીઓએ દિલ્હીની ચૂંટણીમાંથી કોઇ બોધપાઠ લીધો નથી. અમેઠી અને યૂપી હવે વધુ મોટા અંતરથી જીતવામાં આવશે.
શનિવારે કુમાર વિશ્વાસે પત્રકારોને કહ્યું હતું કે પાર્ટી દેશના બધા મોટા નેતાઓ વિરૂદ્ધ ઉમેદવાર ઉભા રાખશે. તેમને સપાની કન્નોજથી લોકસભા સાંસદ ડિંપલ યાદવ અને મધ્ય પ્રદેશની વિદિશાથી સાંસદ સુષ્મા સ્વારાજનું નામ લઇને કહ્યું હતું કે બધી પાર્ટીઓ સુવિધાનું રાજકારણ કરી રહી છે. અને આથી ભાજપ, કોંગેસ અને બસપા ડિંપલ વિરૂદ્ધ પોતાની સુવિધા માટે ઉમેદવાર ઉતારતી નથી તો સુષ્મા સ્વરાજ વિરૂદ્ધ વિદિશાથી ચૂંટણી લડનાર ઉમેદવાર માટે કોંગ્રેસ કહે છે કે ઉમેદવારની ટ્રેન છુટ્ટી ગઇ. પરંતુ સચ્ચાઇ એ છે કે સમજી વિચારેલી રાજકીય ચાલ હેઠળ રાજકીય પક્ષ એકબીજાને બાઇપાસ આપે છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે દેશમાં 67 વર્ષો બાદ વંશવાદના અંતની શરૂઆત અમેઠીથી થશે. આપના કાર્યકર્તા પહેલાંથી જ સક્રિય છે. શંખનાદ ફૂંકવામાં આવ્યો છે અને હવે વંશવાદને વિકસવાની તક આપવામાં નહી આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
