આમ આદમી પાર્ટી બની રાષ્ટ્રીય પાર્ટી, NCP-TMC-CPIનો દરજ્જો છીનવ્યો, જાણો નિયમ અને અધિકાર
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ(TMC) હવે રાષ્ટ્રીય પાર્ટી નથી રહી. ચૂંટણી પંચે તેમની પાસેથી રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મમતા બેનર્જીની TMCને મોટો ઝટકો લાગ્યો છે.
રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેવી રીતે મળે છે અને તે છીનવાયા પછી એ રાજકીય પક્ષ તેના કયા અધિકારો ગુમાવી દે છે, તે જાણવા માટે આ લેખ વાંચતા રહો.

તમને જણાવી દઈએ કે માત્ર TMC જ નહીં, ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંત શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને CPI પાસેથી પણ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. કારણ કે આ ત્રણેય પક્ષોના વોટ શેરમાં 6 ટકાનો ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે અગાઉ માયાવતીની બહુજન પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. જો કે, આ પક્ષો આગામી ચૂંટણીમાં તેમના પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ફરીથી મેળવી શકે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.
કેવી રીતે મળે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, શું છે નિયમ
કોઈપણ રાજકીય પક્ષને ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવી શકે છે. રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ત્યારે જ મળે છે જ્યારે ચૂંટણી પંચની આ ત્રણ શરતોમાંથી ઓછામાં ઓછી એક રાજકીય પક્ષ દ્વારા પૂર્ણ કરવામાં આવે.
- જો રાજકીય પક્ષને ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં 6 ટકા મત મળ્યા હોય તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે છે.
- લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 2 ટકા બેઠકો ત્રણ રાજ્યોમાં મળે છે, તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે છે.
- જો કોઈ રાજકીય પક્ષને દેશના ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો મળ્યો હોય તો તે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી શકે છે.
આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચે કેમ આપ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 3 રાજ્યો દિલ્હી, પંજાબ અને ગોવામાં 6%થી વધુ વોટ શેર મેળવ્યા છે. તેથી તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળતા શું મળે છે લાભ
- 40 સ્ટાર પ્રચારકો રાખી શકે છે.
- માન્યતાપ્રાપ્ત રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષોને નોમિનેશન દાખલ કરવા માટે માત્ર એક પ્રસ્તાવકની જરૂર રહે છે.
- સ્ટાર પ્રચારકનો પ્રવાસ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવામાં આવે છે.
- પાર્ટીને સબસિડીવાળા દરે પાર્ટી કાર્યાલય અને અધ્યક્ષ માટે દિલ્હીમાં સરકારી બંગલો.
- લોકસભાની ચૂંટણીમાં આકાશવાણી પર પ્રસારણ માટે બ્રોડકાસ્ટ અને ટેલિકાસ્ટ બેન્ડ આપવામાં આવે છે.
- સરકારી ચેનલો પર રાષ્ટ્રીય પક્ષોને બતાવવાનો સમય નિશ્ચિત છે. જેથી કરીને આ રાષ્ટ્રીય પક્ષો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.
- રાષ્ટ્રીય પક્ષો તેમના ચિન્હ પર દેશભરમાં ચૂંટણી લડી શકે છે.
- મતદાર યાદીના બે સેટ વિનામૂલ્યે આપવામાં આવે છે.
- સામાન્ય ચૂંટણી દરમિયાન ઉમેદવારોને મફત મતદાર યાદી આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
