મણિપુરના જંગલોમાં લાગી ભીષણ આગ, સીએમ બીરેને મદદ માંગી
મણિપુરના જંગલોમાં લાગી ભીષણ આગ, સીએમ બીરેને મદદ માંગી
મણિપુરના જંગલોમાં લાગેલી આગ તેજીથી ફેલાઈ રહી છે. મણિપુર- નાગાલેન્ડની સીમા પર સ્થિત દજુકો રેંજ બાદ ઉખરુલના શિરુઈ પહાડી પર જંગલોમાં ભીષણ આગ લાગી છે. જંગલો અને પહાડીમાં લાગેલી આગની ઘટના પર મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે શિરૂઈ પહાડી પર ફેલાયેલી આગ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. સીએમ એન બીરેન સિંહે આ સમગ્ર મામલે ગૃહ મંત્રાલયના એડિશનલ સચિવ પાસે મદદ માંગી છે. સીએમ બિરેન સિંહે એનડીઆરએફ સમક્ષ પણ આગ ઓલવવામાં મદદ માંગી છે. અગાઉ ગૃહમંત્રી અમિત શાહે મણિપુર- નાગાલેન્ડની સામે પર સ્થિત દજુકો રેંજની જંગલોમાં લાગેલી આગ પર ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે ફોન પર વાત કરી હતી અને હરેક સંભવ મદદ કરવાની વાત કહી હતી.

મણિપુરના મુખ્ય સચિવે પણ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે મણિપુર સરકારે એનડીઆરએફ પાસે મદદ માંગી છે. આ ઉપરાંત સેના અને આસામ રાયફલ્સને પણ આગ પર કાબૂ મેળવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અગ્નિશમન અને વન વિભાગના કર્મચારીઓ સ્થાનિક સ્વયંસેવકો સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મણિપુર- નાગાલેન્ડની સીમા પર આવેલ દજુકો રેંજના જંગલોમાં લાગેલી આગ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી સીએમ બીરેન સિંહ સાથે વાત કરી હતી. જંગલોમાં લાગેલી આગની સ્થિતિ પર જાણકારી લીધી હતી. અમિત શાહે ભરોસો અપાવ્યો હતો કે હરેક સંભવ મદદ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
