રાજસ્થાન બન્યું દલિતો માટે કબ્રસ્તાન, દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી, જુઓ વીડિયો
રાજસ્થાનના જાલોરમાં એક દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ થાળે પડ્યો ન હતો, તે પહેલા જયપુરમાં એક દલિત મહિલા શિક્ષકને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શાળા જતી વખતે દબંગ જાતિના લોકોએ મહિલાને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
રાજસ્થાનના જાલોરમાં એક દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ થાળે પડ્યો ન હતો, તે પહેલા જયપુરમાં એક દલિત મહિલા શિક્ષકને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શાળા જતી વખતે દબંગ જાતિના લોકોએ મહિલાને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા શિક્ષકનું મંગળવારની મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારના રોજ સામે આવ્યો હતો.

લાંબા સમય બાદ પણ પોલીસ ન પહોંચી
મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટના જયપુરના રાયસર ગામની છે. 10 ઓગસ્ટના રોજ સવારે આઠ કલાકે રેગરોન વિસ્તારમાંરહેતી શિક્ષિકા અનિતા રેગર (32) તેના પુત્ર રાજવીર (6) સાથે વીણા મેમોરિયલ સ્કૂલ જઈ રહી હતી.
આ દરમિયાન કેટલાક દબંગ જાતિનાલોકોએ તેને ઘેરી લીધી અને તેના હુમલો કર્યો હતો આ દબંગ જાતિના અસામાજિક તત્વોથી બચવા માટે અનિતા નજીકમાં બનેલા ઘરમાંઘૂસી ગઈ હતી. તેની મદદ માટે ડાયલ 100ને જાણ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી.

દબંગ જાતિના અસામાજિક તત્વોએ શિક્ષિકાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી
આ પછી, તક મળતા જ દબંગ જાતિના અસામાજિક તત્વોએ પેટ્રોલ છાંટીને શિક્ષિકા પર લગાવી દીધું હતું. જ્વાળાઓમાં લપેટાયેલી અનિતામદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ કોઈ તેની વહારે આવ્યું નહીં.
ઘટનાની માહિતી મળતાં જ શિક્ષિકાના પતિ તારાચંદ તેમના પરિવારનાસભ્યો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પત્નીને જામવરમગઢની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં 70 ટકા દાઝી ગયેલી અનિતાનેપ્રાથમિક સારવાર બાદ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

આ કારણે જીવતી સળગાવી દેવામાં આવી
મૃતક શિક્ષિકા અનિતાએ આરોપીઓને 2.5 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ઘણા દિવસોથી તે આરોપી પાસેથી તેના પૈસા પરત માંગતીહતી. વારંવાર પૈસા માંગવા પર આરોપીઓ શિક્ષિકા સાથે મારપીટ અને અભદ્ર વર્તન કરતા હતા.
આ અંગે અનિતાએ 7 મેના રોજ રાયસરપોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે શિક્ષિકાની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન કરી અને આખરેદબંગ જાતિના અસામાજિક તત્વોએ મહિલાને જીવતી સળગાવી દીધી હતી.
|
આરોપીઓની ધરપકડ કરાઇ નથી
મૃતક શિક્ષકના પતિ તારાચંદે રામકરણ, બાબુલાલ, ગોકુલ, મૂળચંદ, સુરેશ ચંદ, આનંદી, પ્રહલાદ રેગર, સુલોચના, સરસ્વતી અને વિમલાપર પોતાની પત્ની પર પેટ્રોલ નાંખીને આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ તારાચંદનું કહેવું છે કે, ફરિયાદ બાદ પણ પોલીસેઆરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. હજૂ સુધી એક પણ આરોપી પકડાયો નથી.
મંગળવારની મોડી રાત્રે શિક્ષિકાના મોત બાદ આવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
