91 ટકા મતદારોની ઇચ્છા : બળાત્કારની ઘટનાઓ રોકવા પગલાં લેવાય
નવી દિલ્હી, 4 એપ્રિલ : દેશના 91 ટકા મતદારો ઇચ્છે છે કે નવી સરકાર મહિલાઓ વિરુધ્ધ થતી હિંસાને અટકાવવા અગ્રીમતા આપવામાં આવે. આ માટે દેશ ભરમાં મહિલાલક્ષી ચળવળ ચલાવતા આગેવાનોએ મહિલાઓલક્ષી માંગણીઓ સાથેનો 'વુમનિફેસ્ટો' તૈયાર કર્યો છે.
એમડીઆરએ અને આવાઝ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણ અનુસાર 91 ટકા મતદારો ઇચ્છે છે કે નવી સરકાર મહિલાઓ વિરુધ્ધ થતી હિંસાને અટકાવવા અગ્રીમતા આપવામાં આવે. તેમાંથી 85 ટકાનું માનવું છે કે તેઓ એવા ઉમેદવારને મત આપવા માંગે છે જેણે મહિલાઓ સામે થતી હિંસાને રોકવા માટે ચોક્કસ નીતિ તૈયાર કરી હોય.
આ અંગે આવાઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રિકિન પટેલે જણાવ્યું કે 'ભારતના મતદારોની માંગણી છે કે મહિલાઓ સામેની હિંસાને રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે. આ માટે તેઓ ભાજપ સહિતના જે પક્ષો 6 મહત્વના મુ્દ્દાને આવરી લેતા 'વુમનિફેસ્ટો'ને સમર્થન આપશે તેને મત આપશે. આ ઢંઢેરામાં કરવામાં આવેલી માંગણીઓ સંતોષાશે તો મહિલાઓને હિંસા અને શોષણમાંથી મુક્તિ મળશે.'
છ મુદ્દાનો'વુમનિફેસ્ટો' દેશના 70થી વધારે સામાજિક સંગઠનો અને વ્યક્તિગત સામાજિક કાર્યકરોએ સાથે મળીને તૈયાર કર્યો છે.
'વુમનિફેસ્ટો'ના સ્થાપક અને સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ કરૂણા નંદીએ જણાવ્યું કે 'અત્યારે જ ખરો સમય છે જ્યારે મતદારોને મજાક ગણતા રાજકારણીઓને ભાનમાં લાવી શકાશે. આ સમયે જ પાર્ટીઓ પોતાના ચૂંટણી વચનો પાળે તે માટે તેમને બાંધી શકાશે. 'વુમનિફેસ્ટો'ને આપ અને સીપીઆઇ(એમએલ)એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ શું કરે છે તે હવે જોવાનું રહે છે.'
આગળ જાણો સર્વેક્ષણના અન્ય તારણો શું દર્શાવે છે...

મહિલા હિંસા અંગે શિક્ષણ અભિયાન
94 ટકા મતદારો ચાહે છે કે નવી સરકાર મહિલાઓ સામેની હિંસા બંધ કરવાના હેતુથી જાહેર શિક્ષણ અભિયાન શરૂ કરે.

મહિલાઓ સામે હિંસાનું પ્રમાણ
99 ટકા ભારતીયો ભારતમાં મહિલાઓ સામે થતી હિંસાના પ્રમાણથી ચિંતિત છે. કારણ કે ભારતમાં દર બેમાંથી એકથી વધુ મહિલા પોતાને અસુરક્ષિત અનુભવે છે.

મહિલાઓ સાથે ભેદભાવ
87 ટકા લોકો ભારતમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ચિંચિત છે.

મહિલાઓ માટે અપૂરતા ચૂંટણી વચનો
75 ટકા લોકોનું માનવું છે કે અત્યાર સુધી મહિલાઓ અંગે રાજકારણીઓએ જે ચૂંટણી વચનો આપ્યા છે તે અપૂરતા છે.

મહિલાઓ સામે હિંસાનો મુદ્દો
91 ટકા લોકો માને છે કે આવનારી લોકસભા ચૂંટણી 2014માં મહિલાઓ સામે હિંસા મહત્વનો મુદ્દો બની રહેશે.

મતદારોના મતે કયા મુદ્દા અગ્રીમ
1 ભ્રષ્ટાચાર
2 મહિલાઓ સામેની હિંસા
3 બેરોજગારી
4 મોંઘવારી
5 ગરીબી
6 વીજળી બિલ
7 શિક્ષણ
8 પ્રદૂષણ
9 પાણી

મત કોને?
85 ટકાનું માનવું છે કે તેઓ એવા ઉમેદવારને મત આપવા માંગે છે જેણે મહિલાઓ સામે થતી હિંસાને રોકવા માટે ચોક્કસ નીતિ તૈયાર કરી હોય.

'વુમનિફેસ્ટો'ના છ મુદ્દા કયા?
1. Educate for equality
2. Make laws count
3. Put women in power
4. Police for the people
5. Swift, certain justice
6. Economic flourishing
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
