હિમાચલમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 88 લોકોના ગયા જીવ, કિન્નોરમાં NDRFએ 28 લોકોને બચાવ્યા
Himachal Pradesh Rains: હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો વરસાદ કહેર વરસાવી રહ્યો છે. મનાલી, મંડી, કિન્નૌર સહિત ઘણા પહાડી જિલ્લાઓમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રસ્તાઓ, પુલો અને મકાનોને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશમાં વિનાશ અંગે રાજ્ય સરકારે કહ્યું કે વરસાદને કારણે અત્યાર સુધીમાં 88 લોકોએ જીવ ગુમાવ્યા છે, 16 ગુમ છે અને 100 ઘાયલ થયા છે. રાજ્યભરમાં 492 પશુઓના પણ મોત થયા છે.

NDRFના સંયુક્ત બચાવ અભિયાનમાં કિન્નરના કારા વિસ્તારમાં ફસાયેલા 28 પશુપાલકો/ટ્રેકર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. NDRFએ જણાવ્યું કે પાણીનું સ્તર વધવાને કારણે 11 લોકો કફનુ ગામથી 15 કિમી દૂર ફસાયા છે. 12 જુલાઈના રોજ, NDRF ઈન્સ્પેક્ટર પ્રેમ કુમાર નેગીની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમે તમામ 28 લોકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા.
આ સાથે જ હિમાચલ પ્રદેશના કાર્યકારી ડીજીપી સતવંત અટવાલ ત્રિવેદીએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બચાવવા માટે રાજ્યમાં ચાલી રહેલી કામગીરી વિશે માહિતી આપી હતી.
#WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A
— ANI (@ANI) July 12, 2023
તેમણે માહિતી આપી હતી કે ચંદીગઢ જવાના રસ્તે 5,500 થી વધુ વાહનો મંડી પાર કરી ચૂક્યા છે. આઉટમાં ફસાયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. કસોલના 2000 થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સિસુમાં ફસાયેલા પ્રવાસીઓને તાલિંગ ગામ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા, 150 થી વધુ વાહનો અટલ ટનલ પાર કરી ચૂક્યા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે મોટી રેસ્ક્યુ ટીમ ચંદ્રતાલ ગઈ છે. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, કુલ્લુમાંથી અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
Himachal Pradesh | 88 people have lost their lives, 16 missing and 100 injured due to rains in the state. 492 animals have died across the state: State Government pic.twitter.com/NpyX9owtnm
— ANI (@ANI) July 12, 2023
ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ ખુલ્લા છે જ્યાંથી અમારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અમે 1500 પરિવારોનો સંપર્ક કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
