ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાને બ્લેકમેલ કરનારા 5 લોકો ગિરફ્તાર, ફોન કરીને માંગી હતી ખંડણી
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લખીમપુર ખેરી ઘટનામાં ટેનીનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે, જેના પર ખેડૂતોને કારથી કચડી નાખવાનો આરોપ છે. દિલ્હી પોલીસના જણાવ્યા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લખીમપુર ખેરી ઘટનામાં ટેનીનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે, જેના પર ખેડૂતોને કારથી કચડી નાખવાનો આરોપ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ટેનીના સ્ટાફે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો ફોન કરીને તેમની પાસેથી ખંડણીની માંગ કરી રહ્યા હતા. જે બાદ દિલ્હીમાં FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં ચાર આરોપીની દિલ્હીથી અને એકની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે.

ટેનીનો પુત્ર આશિષ હજુ જેલમાં છે. તે જ સમયે, વિરોધ પક્ષો સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં, ટેનીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, જ્યાં તેની અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સામે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી. આ અરજી બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવે દાખલ કરી છે. તેણે કહ્યું હતું કે લખીમપુર ખેરી ઘટનાના ચાર દિવસ પહેલા ટેની અને કેશવ પ્રસાદે ખેડૂતોને ભયંકર પરિણામોની ધમકી આપી હતી. તેમજ આ સમગ્ર ઘટના એક સુચિત કાવતરું હતું. આવા કિસ્સામાં બંને વિરૂદ્ધ કેસ નોંધવો જોઈએ.
આશિષ મિશ્રા જેલમાં ગયા બાદ ટેની વિપક્ષી પાર્ટીઓના નિશાના પર હતા. આ દરમિયાન તેણે પત્રકારો સાથે દુર્વ્યવહાર કર્યો, ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા. આ પછી તેઓ થોડા દિવસો સુધી મીડિયાથી દૂર રહ્યા હતા. 21મીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સાયબર ક્રાઈમ થ્રેટ્સ, ચેલેન્જીસ અને રિસ્પોન્સ વિષય પર એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ટેની પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે જોવા મળ્યા હતા. જોકે તેણે મીડિયાથી સંપૂર્ણ અંતર રાખ્યું હતું.
સંસદનું શિયાળુ સત્ર પૂરું થઈ ગયું છે, પરંતુ આ વખતે વિપક્ષી દળોએ લખીમપુર ખેરી ઘટનાને જોરદાર રીતે ઉઠાવી હતી. આ સાથે ટેનીના રાજીનામાની માંગને લઈને લોકસભા અને રાજ્યસભામાં દરરોજ હંગામો થતો હતો. જો કે, સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી અને પીએમ બંને તેમના રાજીનામાના પક્ષમાં નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
