કેરલના સબરીમાલા મંદિરમાં નાસભાગ, 35 ઘાયલ
કેરલના સબરીમાલા મંદિરમાં અચાનક નાસભાગ થઇ જતા 35 ઘાયલ થઇ ગયા છે. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે...
કેરલના સબરીમાલા મંદિરમાં અચાનક નાસભાગ મચી જતા 35 લોકો ઘાયલ થઇ ગયા છે. 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોમાં મહત્તમ લોકો કેરલની બહારના છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ મંદિર પાસે મલકીપુરમ પાસે આ દુર્ઘટના બની ત્યારબાદ ત્યાં નાસભાગ મચી ગઇ. ઘાયલોને પંપા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અયપ્પા ધર્મ સેનાના અધ્યક્ષ રાહુલ ઇશ્વરના જણાવ્યા મુજબ ઘાયલોમાં વધુ લોકો આંધ્રપ્રદેશના છે જે મંદિરમાં થનારી વિશેષ પૂજામાં સામેલ થવા આવ્યા હતા. દુર્ઘટના બાદ પોલિસે ભીડને નિયંત્રિત કરી છે.

નાસભાગ થવાનું કારણ અત્યાર સુધી જાણી શકાયુ નથી. તમને જણાવી દઇએ કે વર્ષ 2011 માં કેરલના સબરીમાલા મંદિરમાં નાસભાગથી 104 તીર્થયાત્રી માર્યા ગયા હતા. આ મંદિર ગાઢ જંગલો વચ્ચે પહાડી વિસ્તારમાં સ્થિત છે અને મકરસંક્રમ પૂજાના દિવસે અહીં લગભગ એક લાખ લોકો હાજર હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠી અને ભીડમાં ઘૂસી ગઇ ત્યારબાદ ત્યાં અફડાતફડી મચી ગઇ અને 104 થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. વળી, 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કેરલના પુત્તિંગલ મંદિરમાં પણ એપ્રિલ 2016 માં નાસભાગ મચી જતા 110 થી વધુ લોકોના મોત થયા હતા. મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડામાં આગ લાગવાને કારણે ત્યાં નાસભાગ મચી ગઇ. ત્યારબાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો અને 110 લોકોએ જીવ ગુમાવ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
