એલર્ટ: 40,000 રોહીંગ્યા મુસલમાનો ને દેશમાં ઘુસાડવાની તૈયારી
રોહીંગ્યા મુસલમાનો ને લઈને દેશમાં સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે ઇન્ટેલિજન્સ એજન્સીની નવી રિપોર્ટ આવી છે.
રોહીંગ્યા મુસલમાનો ને લઈને દેશમાં સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે ઇન્ટેલિજન્સ એજન્સીની નવી રિપોર્ટ આવી છે. આ રિપોર્ટ ચોંકાવી નાખે તેવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં 35 કરતા વધારે સંગઠન 40,000 રોહીંગ્યા મુસલમાનોને વસાવવા માટે ક્ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મ્યાનમાર થી હજારોની સંખ્યામાં રોહીંગ્યા મુસલમાનો દેશ છોડીને નીકળી રહ્યા છે. આ મુસલમાનોને લઈને આખી દુનિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે.

સંગઠન પૈસા ભેગા કરી રહ્યા છે
ઇન્ટેલિજન્સ એજન્સી રિપોર્ટ અનુસાર 35 કરતા વધારે એવા સંગઠન છે જેઓ 40,000 રોહીંગ્યા મુસલમાનોને વસાવવા માટે દેશ ભરથી પૈસા ભેગા કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સી અનુસાર આ સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોમાં દેશની અલગ અલગ જગ્યા પર ગુપ્ત બેઠકો કરી છે.

ભારતની નાગરિકતા અપાવવા માટે માંગ
એજન્સીઓ ને ભય છે કે રોહીંગ્યા લોકોની મદદ માટે ઘણી જગ્યા પર આ સંગઠનો પૈસા ભેગા કરી રહી છે અને તેમને ભારતની નાગરિકતા અપાવવા માટે માંગ કરી રહી છે. રોહીંગ્યા મુસલમાનોને લઈને ઇન્ટેલિજન્સ એજન્સી સતર્ક છે અને તેમને મદદ પહોંચાડવા માટે કામ કરી રહેલા સંગઠનો પર નજર બનાવી રાખી છે. મળતી જાણકારી મુજબ આવી જ કેટલીક જાણકારી ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં શુ કહ્યું હતું સરકારે
છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એક હલકનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુસલમાન દેશની સુરક્ષા માટે ખતરો છે કારણકે તેમની સાથે ઘણા આતંકી સંગઠનોના તાર જોડાયેલા છે. કેન્દ્ર ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ઘણા રોહીંગ્યા મુસલમાનો પર પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનો શક છે. એટલું જ નહીં પરંતુ કેટલાક રોહીંગ્યા મુસલમાનો તેવા આતંકી સંગઠનો સાથે સંપર્કમાં છે જેઓ ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં હિંસા ફેલાવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
