પૌડી ગઢવાલમાં થયેલા બસ આકસ્માતમાં 32 લોકોના મોત, 20 ઘાયલ
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડ, 05 ઓકટોબર : ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.

આ સાથે આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ બસમાં 50 લોકો સવાર હતા.
પૌડી જિલ્લાના ધુમકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિમડી ગામ પાસે બસ ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે કારણે ખીણમાં ખાબકી હતી. આ બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી પૌડી જિલ્લાના બિરખાલ બ્લોક જઈ રહી હતી. આ બસ લગ્નની જાન લઇને જઈ રહી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ધુમકોટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા.
આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટર પર જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે : વડાપ્રધાન મોદી.
આ અકસ્માત બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં સર્જાયેલા બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે, હું આશા રાખું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
