મધ્યપ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ માટે 3 વર્ષની જેલ અને દંડ

હવે રાજ્યમાં ધર્માંતરણ કરતા પહેલા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. રાજ્ય વિધાનસભામાં બુધવારે સર્વસંમતિથી આ કાયદામાં સુધારાને મંજૂરી આપી દેવામાં આવી હતી. રાજ્યનો ખ્રિસ્તી સમુદાય સરકારના આ નિર્ણયથી નારાજ છે. તેનું કહેવું છે કે આ વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતાનું હનન છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારે વર્ષ 2006માં એક વાર ધર્માંતરણ વિરોધી બિલમાં સંશોધન કર્યું હતું.જો કે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી ન હતી. હવે લગભગ સાત વર્ષ પછી ફરી લાવવામાં આવેલું સુધારેલું બિલ પહેલા કરતા પણ વધારે કડક છે. રાજ્યના ગૃહ મંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે અમે ધર્માંતરણ અંગેનો નવો સુધારેલો કાયદો ગુજરાત રાજ્યના કાયદા મુજબ તૈયાર કર્યો છે. ગુજરાતમાં આ કાયદો ઘણા વર્ષથી અમલી છે.
નવા સુધારા અનુસાર બળજબરીથી ધર્માંતરણ કરાવનારને ત્રણ વર્ષની જેલની સજા અને રૂપિયા 50,000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે મહિલા, અનુસૂચિત જાતિ, જનજાતિના કિસ્સામાં જેલની સજા વધારીને ચાર વર્ષ અને દંડની રકમ વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં 45 વર્ષ જુના ધર્મ સ્વાતંત્ર્ય કાયદા 1968 અનુસાર ધર્મપરિવર્તન માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની જરૂર ન હતી. ધર્મ પરિવર્તન બાદ એક મહિનાની અંદર સત્તાધીશોને જાણ કરવાની રહેતી હતી. હવે ધર્મ પરિવર્તન કરનારાની સાથે ધર્મ પરિવર્તન કરાવનારા ધાર્મિક પુરોહિતોએ પણ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
