'જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે, અમે દબાણમાં છીએ', 21 પૂર્વ જજોએ ચીફ જસ્ટીસને લખ્યો ચોંકાવનારો પત્ર
DY Chandrachud: સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિમાં ન્યાયતંત્ર પર વધી રહેલા દબાણ અંગે વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ હવે ઘટી રહ્યો છે.
આ પત્ર લખનારાઓમાંથી 17 હાઈકોર્ટના પૂર્વ જજ છે અને બાકીના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. આ ન્યાયાધીશોએ 14 એપ્રિલના રોજ એક સામૂહિક પત્રમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને જે પણ કહ્યું છે તે દેશના દરેક જાગૃત નાગરિકે વાંચવું જોઈએ.

21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ લખ્યું છે કે, "અમુક જૂથો દ્વારા દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અમે ચિંતિત છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંકુચિત રાજકીય હિતો અને અંગત લાભોથી પ્રેરિત આ તત્વો આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્રમાં આગળ લખ્યું, "અમે ખાસ કરીને ન્યાયતંત્રની વિરુદ્ધ ખોટી માહિતી અને જાહેર ભાવનાઓને ભડકાવવાની યુક્તિઓથી ચિંતિત છીએ, જે ફક્ત અનૈતિક નથી પરંતુ આપણા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ નુકસાનકારક છે.
21 નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "કોઈના મંતવ્યો સાથે મેળ ખાતા ન્યાયિક ચુકાદાઓની પસંદગીપૂર્વક પ્રશંસા કરવાની અને ન્યાયિક સમીક્ષાના સારને અને એ ચુકાદાઓની આકરી ટીકા કરવાની પ્રથા જે ન્યાયિક સમીક્ષા અને કાયદાના શાસનના સારને નબળુ નથી પાડતા."
સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો સહિત નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી કે જેના કારણે તેઓએ CJIને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના મામલામાં કેટલાક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન આ પત્ર લખવામાં આવ્યો છે.
21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud
— ANI (@ANI) April 15, 2024
"We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
