9/11ને થયાં 17 વર્ષ, હુમલામાં હતું ભારતનું કનેક્શન
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં હતું ભારતનું કનેક્શન
નવી દિલ્હીઃ 17 વર્ષ પહેલા આજના જ દિવસે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો હતો. 9/11 હુમલો ઈતિહાસનો સૌથી ખતરનાક આતંકી હુમલો હતો, હાઈજેક કરાયેલ પ્લેનથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરાયેલા હુમલાના અત્યાર સુધીમાં 1100 જેટલા પીડિતોની ઓળખ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન હુમલામાં ભારતનું કનેક્શન પણ હોવાનું ખુલ્યું છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ મુખ્ય લિંક ફંડ એકઠું કરવા સાથે જોડાયેલ હતી.

હુમલા માટે ફંડ એકઠું કર્યું
કોલકાતામાં અમેરિકન સેન્ટર પર હુમલો અને બિઝનેસમેનમાં સંડોવણી હોવાથી હર્કત-ઉલ-મુઝાહીદ્દીનના અફ્તાબ અંસારીને ભારત પરત લાવવામાં આવ્યો ત્યારે 9/11માં ભારતની લિંક હોવાનું સામે આવ્યું હતુ. તપાસ એજન્સીઓએ જણાવ્યા મુજબ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના પ્લાનથી અંસારી વાકેફ હતો અને બિઝનેસમેનના અપહરણ કરી મેળવેલ 4 કરોડની ખંડણીમાંથી તેણે હુમલા માટેનું ફંડ પણ ફાળવ્યું હતું.

IBના હાથમાં લાગી કોલ ડિટેલ
અલિપોર જેલમાંથી કરાચીમાં થયેલ એક ફોન કૉલની ડિટેલ ઈન્ટેલિજન્સ બ્યુરોએ હાંસલ કરી લીધી હતી. કરાચીના જાવેદ બલુચી અને અંસારી વચ્ચે આ વાતચીત થઈ હતી જેને એજન્સીએ રેકોર્ડ કરી લીધી હતી. જેમાં તે ભારતમાં એક પ્લોટ પડાવવા માંગતો હતો પણ પોલીસે તેનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હોવાની વાત કરી રહ્યો હતો.

હુમલામાં ભારતનું કનેક્શન
અફતાબ અંસારીની ગેંગના 5 સભ્યોએ ખાદીમ શૂના વાઈસ ચેરમેન રોય બર્મનનું અપહરણ કર્યું હતું. અંસારીએ 9/11ના હુમલાને સફળ બનાવવા માટે બિઝનેસમેન પાસેથી મળેલી ખંડણીમાંથી 3.65 કરોડ રૂપિયાને ન્યૂ યોર્ક મોકલવામાં આવ્યા હતા. અંસારીની લિંક સામે આવ્યા બાદ અમેરિકાના કહેવા પર યુએઈએ તેનો દેશ નિકાલો કર્યો હતો અને તેને પરત ભારત લાવવામાં આવ્યો. અપહરણ બાદ એક વર્ષ સુધી અંસારી ભારતમાં જ રહ્યો હતો, 2002માં કોલકાતા ખાતે અમેરિકન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ અંસારીએ ભારત છોડી દીધું હતું અને તે યુએઈ ચાલ્યો ગયો હતો.

દિલ્હી પર હુમલો કરવાનો પ્લાન
જો કે લિંક બહાર આવતાં અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેલમાં હોવા છતાં અંસારીએ પોતાની આતંકી પ્રક્રિયા શરૂ રાખી અને 2014માં અપહરણ અને દિલ્હી પર હુમલો કરવાનો પ્લાન પણ બનાવી રહ્યો હતો. ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ જણાવ્યા મુજબ ફરી કોઈનું અપહરણ 4 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો પ્લાન બનાવી રહ્યો હતો અને જેમાથી અડધુ ફંડ દિલ્હી પર થનાર હુમલામાં વાપરનાર હતો અને બાકીના રૂપિયા તે પાકિસ્તાન મોકલવાનો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
