2 મહિનાથી ગુમ છે 17 વર્ષની છોકરી, આત્માઓની દુનિયામાં હતો ભરોસો, માતાપિતાએ કહી ચોંકાવનારી વાત
બેંગલુરુની રહેવાસી 17 વર્ષની એક છોકરી છેલ્લા 2 મહિનાથી ગુમ છે.
બેંગલુરુઃ બેંગલુરુની રહેવાસી 17 વર્ષની એક છોકરી છેલ્લા 2 મહિનાથી ગુમ છે. છોકરીના માતાપિતા પોતાની દીકરીને શોધવા માટે પોલિસ પાસે ગે અને હવે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. ચિંતિત માતાપિતાએ દીકરીના ગુમ થવાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગાયબ છોકરીના માતા પિતાને શંકા છે કે તેમની દીકરી એકલી ગાયબ ના થઈ શકે. માતાપિતાને શંકા છે કે છોકરીના ગુમ થવા પાછળ શમનવાદ(શમનિઝ્મ) છે. સગીર બાળકી અનુષ્કા પોતાના બેંગલુરુના ઘરમાંથી 31 ઓક્ટોબરે નીકળી હતી. માતાપિતાએ કહ્યુ, 'કોઈએ મારી દીકરીને પ્રભાવિત કરી છે, તે ઘર છોડીને એકલી ના જઈ શકે.'

2 જોડી કપડા અને અઢી હજાર રુપિયા લઈને ગાયબ થઈ છે છોકરી
અનુષ્કા લગભગ બે મહિનાથી ગુમ છે. તે 31 ઓક્ટોબરે બે જોડી કપડા અને 2500 રુપિયા રોકડા લઈને ઘરમાંથી નીકળી હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે આ શમનવાદ(શમનિઝ્મ) શું છે? તો તમને જણાવી દઈએ કે શમનવાદ(શમનિઝ્મ) એક પ્રાચીન પરંપરા છે. જે હેઠળ લોકો દેવી-દેવતાઓ, આત્માઓ અને રાક્ષસોની અનદેખી દુનિયામાં વિશ્વાસ કરે છે. અનુષ્કાને પણ આ બધી વાતોમાં ભરોસો હતો. અમુક લોકો માટે શમનવાદ આત્માઓની દુનિયાના માધ્યથી આધ્યાત્મિક અને શારીરિક ઉપચારનો એક પ્રાચીન અભ્યાસ છે.

'આત્માઓની દુનિયા વિશે જાણવા માંગતી હતી અનુષ્કા'
અનુષ્કાને શમનવાદ એટલે કે આત્માઓની દુનિયા વિશે જાણવા અને ડિટેશન કરવાનો શોખ હતો. 12મુ ધોરણ પાસ કર્યા બાદ અનુષ્કા તેના પ્રત્યે આકર્ષિત થઈ. અનુષ્કાની મા અર્ચનાએ કહ્યુ, 'તેણે(અનુષ્કા)એ જણાવ્યુ કે તે શમનિઝ્મ મેડિટેશન કરવા માંગે છે. તે આધ્યાત્મિક જીવનના પ્રશિક્ષકો અને સાઈકેડેલિક શિક્ષકોથી પ્રભાવિત હતી. ત્યારબાદ અમે તેને ઘરે જ શમનિઝ્મ મેડિટેશન કરવાની સલાહ આપી. ત્યારબાદ તે ઘરે મેડિટેશન કરતી હતી. હું તેને પાછી આવવાનો અનુરોધ કરુ છુ.'

સપ્ટેમ્બરથી બદલાઈ ગયુ હતુ તેનુ વલણ
પિતા અભિષેકે કહ્યુ કે તેને શોધવા માટે પોલિસના પ્રયાસો અત્યાર સુધી સફળ થયા નથી અને તે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેના પિતા અભિષેકે કહ્યુ કે કોઈએ ઘર છોડવાના તેના નિર્ણયને પ્રભાવિત કર્યુ. પિતા અભિષેકે કહ્યુ, 'તે સગીર છે. બની શકે કે તે સ્વયં નિર્ણય લેવાની સ્થિતિમાં ના હોય. તેણે મને કહ્યુ કે તે શમનિઝ્મનુ પાલન કરવા માંગે છે.' પિતા અભિષેકે કહ્યુ, અનુષ્કા સપ્ટેમ્બરથી ઘણી બદલાવા લાગી હતી. તે એકાંતપ્રિય થઈ ગઈ અને દરેકથી બચવાની કોશિશ કરવા લાગી હતી.

'અમે તેમને કાઉન્સેલર પાસે પણ લઈ ગયા હતા..'
પિતા અભિષેકે કહ્યુ, 'હું તેને એક કાઉન્સેલર પાસે લઈ ગયો. અમે જે વ્યવહારમાં પરિવર્તન જોયુ તે એ હતુ કે તેની સાથે અમે વાત કરવાનુ બંધ કરી દીધુ. તે ખુદને રૂમમાં કલાકો સુધી બંધ રાખતી હતી. ખુદને ઘરેલુ ગતિવિધિઓથી પ્રતિબંધિત કરી રહી હતી.' તેમણે કહ્યુ કે અનુષ્કા 31 ઓક્ટોબરે તેમના ઘરેથી ભાગી ગઈ હતી. બેંગલુરુ પોલિસ હજુ પણ સુરાગ શોધી રહી છે. પોલિસે તેને ટ્રિકી કેસ ગણાવ્યો છે. પોલિસ ઘણી જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ શોધી રહી છે. તેમણે કહ્યુ કે જે જગ્યાએથી અનુષ્કા ટ્રેસલેસ થઈ હતી ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
