વૈષ્ણોદેવી મંદીરમાં ભાગદોડ થતા 12 લોકોના મોત, પીએમ મોદીએ જતાવ્યુ દુખ, 2-2 લાખ વળતરની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે (1 જાન્યુઆરી) માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે (1 જાન્યુઆરી) માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેકને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય પીએમ ફંડમાંથી ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. આ સંખ્યા વધી પણ શકે છે. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે.આ ઘટના સવારે લગભગ 2.45 વાગ્યાની છે.

જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ પણ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. એલજી મનોજ સિન્હાએ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચવા પર કોણે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. મેં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયજી સાથે વહેલી સવારે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં આ સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
